બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને રાજ્યસભાના સભ્ય સુશીલ કુમાર મોદીએ (Sushil Kumar Modi) સોમવારે (25 સપ્ટેમ્બર) એક નિવેદન આપતાં સીએમ નીતિશ કુમાર (CM Nitish Kumar) પર જોરદાર પ્રહારો કર્યા હતા. સુશીલ કુમાર મોદીએ કહ્યું કે નીતિશ કુમાર માટે તમામ રસ્તા બંધ છે. હવે નીતિશ કુમાર નાક રગડે તો પણ અમે તેમને અમારી સાથે સામેલ નહીં કરીએ. બિહારના રાજકારણમાં હવે નીતિશ કુમારની કોઈ હૈસિયત બચી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીએ કહ્યું કે નીતીશ કુમાર પાસે બે વોટ મેળવવાની ક્ષમતા પણ બાકી નથી. નીતિશ કુમાર હવે રાજકીય બોજ બની ગયા છે અને તેઓ જે બોજ બન્યા છે તેને ભાજપ શા માટે વહન કરશે?


સુશીલ મોદીએ કહ્યું- 2024 અને 2025ની ચૂંટણી જીતીશું


બીજેપી સાંસદ સુશીલ કુમાર મોદીએ બિહારના સીએમ નીતિશ કુમાર પર આગળ કહ્યું - "એકવાર નહીં પરંતુ બે વાર, અમિત શાહે સ્પષ્ટ કર્યું કે તેમના માટે ભાજપના દરવાજા બંધ છે. અમે 2024ની લોકસભા અને 2025ની બિહાર વિધાનસભાની ચૂંટણી પણ જીતીશું." તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ (CM Nitish Kumar) હવે ભાજપમાં જોડાઈ શકે નહીં.


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube