નવી દિલ્હી: કમાનથી નીકળેલું તીર અને જીભથી છૂટેલા શબ્દો પાછા ફરતા નથી. એટલે જ વડીલો કહે છે કે સમજી વિચારીને બોલવું જોઈએ. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાની દુનિયામાં કદાચ તેના પર જરાય ધ્યાન અપાતું નથી. આ જ કારણ છે કે રાજનેતાઓની ટ્વીટ છાશવારે ભાવનાઓને ઠેસ પહોંચાડવાના મામલે વિવાદનું કારણ બની જાય છે. તાજો મામલો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની એક ટ્વીટનો છે. આ ટ્વીટના કારણે તેઓ વિવાદમાં ફસાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ પર લગાવી રહ્યા હતા નિશાન, પોતે જ ઘેરાઈ ગયા
વાત જાણે એમ છે કે રાહુલ ગાંધી પોતાની ટ્વીટ દ્વારા કેન્દ્રની મોદી સરકાર સહિત ભાજપ પર નિશાન સાધી રહ્યા હતા. પરંતુ હવે તેઓ પોતે જ ઘેરાતા જોવા મળી રહ્યા છે. તેમની ટ્વીટ વિરુદ્ધ આજે અસમમાં ભાજપ દ્વારા ઓછામાં ઓછા એક હજાર રાજદ્રોહના કેસ નોંધાવવામાં આવશે. 


ઈસરોએ PSLV-C52 નું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું, EOS-04 સાથે 2 સેટેલાઈટ અંતરિક્ષમાં મોકલ્યા


કેન્દ્રીય મંત્રીનો પલટવાર
રાહુલ ગાંધી દ્વારા ભારતને ગુજરાતથી બંગાળ સુધી ગણાવીને ભાજપે તેમને ઘેરે લીધા. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે, 'કોંગ્રેસ નેતા માટે ભારત પશ્ચિમ બંગાળમાં જ સમાપ્ત થઈ જાય છે! મારા સુંદર રાજ્ય અરુણાચલ પ્રદેશ સહિત ભારતનો પૂર્વોત્તર હિસ્સો ભારત વિશેના તેમના વિચારનો ભાગ નથી.' હવે તેને લઈને ભાજપ અસમમાં આજે રાહુલ ગાંધી વિરુદ્ધ રાજદ્રોહના કેસ દાખલ કરવા જઈ રહ્યો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube