નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી (Pranab Mukherjee) નું 84 વર્ષની વયે સોમવારે નિધન થયું. તેઓ 10 ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ હતાં. તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે.  તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે સવારે 9 વાગ્યાથી 10 રાજાજી માર્ગ સ્થિત તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે. કોરોનાકાળને જોતા સામાજિક અંતર સહિત તમામ જરૂરી પ્રોટોકોલનું ધ્યાન રાખવામાં આવશે. સવારે 9 વાગ્યાથી ગણમાન્ય વ્યક્તિઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. પીએમ મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને શ્રદ્ધાંજલિ આપી. સામાન્ય જનતા માટે 11-12 વચ્ચે અંતિમ દર્શન થઈ શકશે. 


પત્રકારથી માંડીને રાષ્ટ્રપતિ સુધીની સફર, આવા હતા ભારત રત્ન પ્રણવ મુખર્જી!


પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન, અધૂરું રહી ગયું 'પીએમ ઇન વેટિંગ'નું આ સપનું


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube