બેંગ્લુરુ: ભારતે હાલમાં જ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું (Brahmos Supersonic cruise missile) સફળ પ્રાયોગિક પરીક્ષણ કર્યું હતું જેની મારક ક્ષમતા 400 કિલોમીટરથી વધુ છે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)એ આ મિસાઈલનું પરીક્ષણ બાલાસોરના ચાંદીપુર સ્થિત આઈટીઆરથી થયું હતું. હવે ડીઆરડીઓ પ્રમુખ જી સતીષ રેડ્ડીએ બ્રહ્મોસ ઉપરાંત અન્ય મિસાઈલોના પરીક્ષણ ઉપર પણ માહિતી આપી. ડીઆરડીઓ ચીફે કહ્યું કે, 'અમે દેશની અંદર સેનાની જરૂરિયાત મુજબ કોઈ પણ પ્રકારની મિસાઈલ બનાવી શકીએ છીએ.' તેમણે એમ પણ કહ્યું કે બ્રહ્મોસમાં સ્વદેશી પ્રણાલીનો ઉપયોગ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: સંતોને યોગ શીખવાડતા હતા બાબા રામદેવ...અચાનક હાથી પરથી ગબડી પડ્યા


5 ઓક્ટોબરના રોજ ટોરપીડો(SMART)ના સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ રિલીઝનું સફળ પરીક્ષણ કરાયું હતું. જેના પર DRDO પ્રમુખે કહ્યું કે, 'આ પ્રણાલી સંપૂર્ણ રીતે સિદ્ધ થતા અને સશસ્ત્ર દળોમાં સામેલ થયા બાદ નેવીની ક્ષમતા વધી જશે.'


મુક્ત થતાની સાથે જ મહેબૂબાએ ઝેર ઓક્યું, કહ્યું- 'કાળા દિવસનો કાળો નિર્ણય...અપમાન ક્યારેય નહીં ભૂલીએ'


DRDO પ્રમુખે 12 ઓક્ટોબરના રોજ નિર્ભય સબ-સોનિક ક્રુઝ મિસાઈલના ઉડાણ પરીક્ષણ પર કહ્યું કે, "નિર્ભયનું પહેલા પણ પરીક્ષણ થઈ ચૂક્યું છે અને તેણે પોતાના તમામ પરીક્ષણોને સફળતાપૂર્વક પૂરા કર્યા છે. અમે ફક્ત તેમા સ્વદેશી સામગ્રી વધારવા માંગતા હતાં. ત્યારબાદ તેમા કેટલીક ખામીઓ જોવા મળી, જે અમે જોઈ રહ્યા છીએ." 


(ઈનપુટ- ANI)


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube