નવી દિલ્હીઃ દેશમાં સતત વધી રહેલા કેસોએ સામાન્ય જનતાથી લઈને સરકારની ચિંતા વધારી દીધી છે. સમગ્ર દુનિયાને પોતાની ઝપેટમાં લઈ ચુકેલી મહામારીની બીજી લહેર ખતરનાક છે. ડબલ મ્યૂટેન્ટ વાયરસે દર્દીઓની સેવામાં લાગેલા ડોક્ટર, નર્સ અને અન્ય પેરામેડિકલ સ્ટાફને પણ સંક્રમિત કરવા લાગ્યો છે. રાજ્ય સરકારે સંક્રમણને જોતા નવા પ્રતિબંધ લગાવી રહી છે. આ વચ્ચે એક વાતની મુશ્કેલી બધા લોકોને થઈ પડી છે તે છે દેશની હોસ્પિટલોમાં બેડ અને ઓક્સીજનની કમી. આ સિવાય દવાઓની કાળાબજારી પણ ગંભીર પડકાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે ઓક્સીજનની કમીની સપ્લાઈને લઈને એક હાઈ લેવલ બેઠક કરી, જેમાં રાજ્યોની સાથે તાલમેલ બેસાડવાનો નિર્દેશ આપ્યો છે. હવે કેન્દ્ર સરકારે કોરોના દર્દીઓ માટે જરૂરી દવા રેમડેસિવિરના ભાવને 5400થી ઘટાડી 3500થી નીચે કરી દીધો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube