નવી દિલ્હી: ભારત આજે મોડી રાતે અંતરિક્ષ ક્ષેત્રે નવી છલાંગ લગાવવા જઈ રહ્યું છે. 22 જુલાઈના રોજ ઈસરો તરફથી લોન્ચ કરાયેલા ચંદ્રયાન-2 મિશન હેઠળ 7 સપ્ટેમ્બરે ચંદ્રયાન 2નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઐતિહાસિક સૌફ્ટ લેન્ડિંગ કરવા માટે તૈયાર છે.  વિક્રમ 7 સપ્ટેમ્બરે મધરાતે 1:30 વાગ્યાથી 2:30 વાગ્યાની વચ્ચે ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરશે. આ શોધ યાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને રિસર્ચ શરૂ કરશે. આ સાથે જ ભારત ઈતિહાસ રચી નાખશે. વિક્રમની સાથે સાથે ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન નામનું રોબોટિક યાન (રોવર) પણ ઉતરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદ્રયાન-2ના 3 ભાગ
ચંદ્રયાન-2ને ઈસરોએ 22મી જુલાઈના રોજ લોન્ચ કર્યું હતું. ચંદ્રયાન 2 મિશનમાં એક ઓર્બિટર, એક લેન્ડર અને એક રોવર સામેલ છે. જેનું નામ ચંદ્રયાન-2 ઓર્બિટર, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર છે. ઓર્બિટર ચંદ્રની કક્ષામાં પહોંચી ચૂક્યું છે. લેન્ડર વિક્રમ આજે મોડી રાતે ચંદ્ર પર ઉતરણ કરશે. 2 સપ્ટેમ્બરના રોજ ઓર્બિટરથી અલગ થઈને લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઉતરવા માટે રવાના થયું હતું. 


ચંદ્રયાન 2: આજે મધરાત બાદ ઈતિહાસ રચાશે, ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરશે 'વિક્રમ'


ચંદ્ર પર 2 મોટા ખાડા વચ્ચે લેન્ડિંગ કરશે વિક્રમ
ચંદ્રયાન-2 મિશન હેઠળ ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન લેન્ડિંગ કરશે. લેન્ડર વિક્રમનું વજન 1471 કિંગ્રા છે. તેનું નામકરણ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈના નામ પર થયું છે. તેને 650 વોટની ઉર્જાથી તાકાત મળશે. તે 2.54*2*1.2 મીટર લાંબુ છે. ચંદ્ર પર ઉતરણ દરમિયાન તે ચંદ્રના એક દિવસ સતત કામ કરશે. ચંદ્રનો એક દિવસ એ પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે. તે ચંદ્રના બે મોટા ખાડા મેજિનસ સી અને સિંપેલિયસ એન વચ્ચે લેન્ડિંગ કરશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...