રાયપુરઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી (Chhattigarh Assembly Elections 2018)માં ભાગ્ય અજમાનવનાર તમામ  1263 ઉમેદવારોના ભવિષ્યનો આજે નિર્ણય થઈ જશે. રાજ્યમાં મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં કોની સરકાર બનશે અને કોને હારનો સામનો કરવો પડશે તેનો નિર્ણય આજે આવી જશે. તેવામાં ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોમાં કોઈ યજ્ઞ તો કોઈ પૂજા-પાઠના માધ્યમથી ભગવાનને ખુશ કરી પોતાની જીતની પ્રાર્થના કરવામાં લાગેલા છે. આજે સવારે 8 કલાકે મતગણતરી શરૂ થઈ જશે અને 12 કલાક સુધીમાં વલણ સ્પષ્ટ થઈ જશે. મહત્વનું છે કે, રાજ્યના દરેક જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાં વિધાનસભાવાર 14-14 ટેબલ લગાવવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાઉન્ટિંગ શરૂ


- અમે મજબૂત વિપક્ષ તરીકે કામ કરીશું- રમણ સિંહ

- ડો. રમણ સિંહે ભાજપની હારની નૈતિક જવાબદારી સ્વીકારી

- રમણ સિંહે સીએમ પદેથી આપ્યું રાજીનામું


- સંજારી બાલોદથી કોંગ્રેસની સંગીતા સિન્હા જીતી ગઈ છે.


- કોંગ્રેસના લખેશ્વર બઘેલ બસ્તર સીટથી જીત્યા. 


- છત્તીસગઢમાં કાર્યકર્તાઓની સાથે જીતનો જશ્ન મનાવતા રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેશ બઘેલ. 


રાજસ્થાન ચૂંટણી પરિણામ LIVE: આજે EVM નક્કી કરશે 2274 મતદાતાનું ભવિષ્ય, 8 કલાકે શરૂ થશે મતગણના


નોંધનીય છે કે, છત્તીસગઢમાં આ વખતે ભારત અને કોંગ્રેસે પોતાના 90-90 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે જનતા કોંગ્રેસ છત્તીસગઢે 55, બસપાએ 35 અને અન્યના મળીને 1263 ઉમેદવારો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી પદાધિકારી કાર્યાલયના અધિકારીઓએ જણાવ્યું કે, મતગણતી માટે 5184 ગણતરીકર્મીઓ અને 1500 માઇક્રોઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રત્યેક હોલમાં ગણતરી માટે 14 ટેબલ, રિટર્નિંગ ઓફિસર મેજ અને ડાક મતપત્રોની ગણનાની મેજ હશે. તો મતગણતરી કેન્દ્રોની આસપાસ કોઈપણ નેતા-મંત્રી અને રાજકીય પાર્ટીઓ સાથે સંબંધ રાખનાર લોકોને આવવા જવા પર પ્રતિબંધ છે. 



Telangana Assembly Result Live Updates: 119 સીટ પર કોણ બનશે તેલંગણા કિંગ?

અધિકારીઓએ જણાવ્યું કે, મતગણતરી કેન્દ્રોમાં ત્રિસ્તરિય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં પ્રત્યેક સ્તર પર ઓળખપત્રની તપાસ બાદ જ પ્રવેશ આપવામાં આવશે. જેથી કોઈ પક્ષ ચૂંટણી પંચ પર પક્ષપાતનો આરોપ લગાવે છે કો કેને પૂરાવા આવી શકાય કે મતગણતરીમાં કોઈપણ પ્રકારનો પક્ષપાત કરવામાં આવ્યો નથી. અધિકારીઓ પ્રમાણે તેણે આ પગલું મતગણનામાં પારદર્શિતા બનાવી રાખવાને કારણે ઉઠાવવામાં આવ્યું છે. 


મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ LIVE: સત્તાનું ઘમાસાણ, ભાજપ સત્તા જાળવશે કે કોંગ્રેસ કરશે વાપસી?

નોંધનીય છે કે, છત્તીસગઢમાં બે ચરણમાં ચૂંટણી સંપન્ન થઈ હતી. જેમાં પ્રથમ ચરણમાં 18 સીટો માટે 12 નવેમ્બરે અને બીજા ચરણમાં 72 સીટો માટે 20 નવેમ્બરે ચૂંટણી યોજાઇ હતી. પ્રદેશમાં કુલ 1,84,80,997 મતદાતા છે જેમા 31 લાખ 80 હજાર મતદાતાઓએ પ્રથમ ચરણમાં અને બીજા ચરણમાં 1 કરોડ 53 લાખ 983 મતદાતા હતા. તેમાંથી કુલ 76.35 ટકા મતદાતાઓએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. મહત્વનું છે કે, વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 43 સીટો પર જીત નોંધાવતા સરકાર બનાવી હતી અને આ વખતે પણ ભાજપ ભારે બહુમત સાથે જીતનો દાવો કરી રહી છે. ભાજપે આ વખતે રાજ્યમાં 65+નો ટારગેટ બનાવ્યો હતો. 


5 રાજ્યોના ચૂંટણી પરિણામ LIVE: કોણ બનશે બાદશાહ, કોણ બનશે બાજીગર અને કોણ બનશે કિંગમેકર?