લખનૌ: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી  (UP Assembly Election 2022) અગાઉ મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા (Chief Election Commissioner Sushil Chandra) એ આજે લખનૌમાં યુપીના વિવિધ રાજકીય પક્ષો સાથે બેઠક યોજી અને તેમના સૂચનો લીધા. આ દરમિયાન તમામ રાજકીય પક્ષોએ નિર્ધારિત સમયે ચૂંટણી કરાવવા પર ભાર મૂક્યો. આ સાથે જ ચૂંટણી પંચે યુપીના તમામ ડીએમ અને એસપી સાથે પણ વાતચીત કરી. પંચે આવકવેરા વિભાગ, જીએસટી, ઈડી અને બેંકો સાથે પણ વાત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠકમાં આ પાર્ટીઓએ લીધો ભાગ
રાજકીય પક્ષો સાથે બેઠક બાદ મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં જણાવ્યું કે અમે રાજકીય પક્ષો સાથે બેઠક કરી. આ બેઠક દરમિયાન ટીએમસી, બીએસપી, કોંગ્રેસ, ભાજપ, સમાજવાદી પાર્ટી અને આરએલડીએ ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી. 


Corona Update: દેશમાં કોરોનાના નવા કેસમાં તોતિંગ વધારો, છેલ્લા 24 કલાકમાં આટલા કેસ નોંધાયા


નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે પ્રતિબદ્ધ- ચંદ્રા
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાનો કાર્યકાળ 14મી મે 2022 ના રોજ ખતમ થઈ રહ્યો છે અને કુલ 403 બેઠકો માટે ચૂંટણી થવાની છે. ભારત ચૂંટણી પંચ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે પ્રતિબદ્ધ છે. 


Shocking Video: સાપ સાથે મસ્તી ભારે પડી, અચાનક ઉછળીને યુવકના પ્રાઈવેટ પાર્ટ પર માર્યો દંશ


યુપીમાં કુલ 15 કરોડ મતદારો
તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં લગભગ 15 કરોડથી વધુ મતદારો છે અને કુલ મતદારોની સંખ્યા વધી પણ શકે છે. અત્યાર સુધીમાં 52.8 લાખ નવા મતદારોને સામેલ કરાયા છે. જેમાંથી 19.89 લાખ મતદારો 18-19 વર્ષની આયુના છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ તરફથી 5 જાન્યુઆરી 2022ના રોજ મતદાર સૂચિની છેલ્લી યાદી બહાર પડશે. મતદાર સૂચિ બહાર પડ્યા બાદ પણ કોઈનું નામ છૂટી ગયું હોય તો તેઓ પોતાનો ક્લેમ ફાઈલ કરીને પોતાનું નામ જોડાવી શકે છે. ટ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube