નવી દિલ્હી: અરૂણાચલ પ્રદેશથી અપહરણ કરવામાં આવેલા 5 ભારતીયોને લઇને ચીને પહેલાં તો તેની જાણકારી હોવાની મનાઇ કરી, પરંતુ હવે તેને સ્વિકાર કર્યો છે કે તે લોકો તેમના ત્યાં છે. કેન્દ્રીય કિરણ રિજિજૂએ મંગળવારે જણાવ્યું કે અપહરણ કરાયેલા ભારતીયોને પરત લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. અરૂણાચલ પ્રદેશના સુબનસિતી જિલ્લાના પાંચ યુવક જંગલમાં શિકાર કરવા ગયા હતા ત્યાંથી તે ગુમ થઇ ગયા. પછી પરિજનોએ આરોપ લગાવ્યો હતો કે ચીની સેના પીપલ્સ લિબરેશન આર્મીએ તેમનું અપહરણ કરી લીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય મંત્રી રિજિજૂએ ટ્વીટ કરી જણાવ્યું 'ભારતીય સેના તરફથી મોકલવામાં આવેલા હોટલાઇન સંદેશ પર ચીનની પીએલએએ જવાબ આપ્યો છે. તેમણે પુષ્ટિ કરી છે કે અરૂણાચલ પ્રદેશથી ગુમ યુવક તેમની તરફ મળી આવ્યા છે. તેમને અધિકારીઓને સોંપવાની આગળની ઔપચારિકતાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube