પટનાઃ લોક જનશક્તિ પાર્ટી (LJP) ના અધ્યક્ષ ચિરાગ પાસવાન (Chirag Paswan) એ ખુદને શબરી (Shabari) વંશજ ગણાવ્યા છે. પોતાના પરિવારને ભગવાન રામની સાથે જોડતા પાર્ટી ચીફે અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે એક લાખ 11 હજાર રૂપિયાનું દાન કર્યું છે. શનિવારે રામ નામના મહિમાના ગુણગાન કરતા ચિરાગ પાસવાને કહ્યુ, મંદિર નિર્માણના આ શુભ કામમાં સહભાગીદારી કરવી સમાજના વંચિત તબક્કાના દરેક વ્યક્તિનું કર્તવ્ય છે. 


માતા શબરીના વંશજ જોવા પર ગર્વ- ચિરાગ
તેમણે ટ્વીટ કર્યુ, આજના સમાજને શ્રીરામ તથા માતા શબરી વચ્ચે સ્નેહના સંબંધને સમજવો પડશે. દલિત સમાજના બધા ભાઈ-બહેનોને પ્રેમ અને સન્માનની જરૂર છે, જેથી સામાજીક પ્રેમ હંમેશા શ્રી રામ તથા માતા શબરી જેવો બન્યો રહે. મને માતા શબરીના વંશજ હોવા પર ગર્વ છે. 


Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube