નવી દિલ્હીઃ લોક જનશક્તિ પાર્ટી (LJP) નેતા ચિરાગ પાસવાને પડકાર ફેંકડા કહ્યુ કે, એલજેપી કોટા (પારસ જૂથ) માંથી કોઈ સાંસદને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે તો હું કોર્ટ અને જનતાની વચ્ચે જઈશ. ચિરાગે કહ્યુ કે, તે પ્રધાનમંત્રીનો વિશેષાધિકાર છે કે તે કોને મંત્રીમંડળમાં સ્થાન આપે છે. ચિરાગે દાવો કરતા કહ્યુ કે પાર્ટી મારી છે અને 90 ટકા કાર્યકારિણી સભ્યો અમારી સાથે છે. ચિરાગે કહ્યુ કે, કેન્દ્રીય મંત્રીમંડળ વિસ્તાર બાદ જેડીયૂમાં ફૂટ પડશે. 


સોમવારે પટનામાં આયોજીત એક પત્રકાર પરિષદ દરમિયાન ચિરાગે પોતાના કાકા પર હુમલો કર્યો છે. ચિરાગે પશુપતિ કુમાર પારસ પર પરિવાર અને પાર્ટી તોડવાનો આરોપ લગાવ્યો છે. ચિરાગે કહ્યુ કે, કાકાએ રામવિલાસ પાસવાનના વિચારોની હત્યા કરી છે. તે એવા લોકો સાથે જઈને બેઠા છે, જેણે રામવિલાસ પાસવાનના જીવિત રહેતા તેમના રાજકીય કદને ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. હવે તેમની જયંતિ પર તેમને યાદ પણ કર્યા નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube