નવી દિલ્હીઃ લોક જનશક્તિ પાર્ટી (LJP) માં ચાલી રહેલા વિવાદ વચ્ચે ચિરાગ પાસવાન (chirag paswan) એ પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે પાર્ટીમાં ચાલી રહેલી ગતિવિધિઓને લઈને પોતાનો પક્ષ સામે રાખ્યો છે. ચિરાગે મોટો આરોપ લગાવતા કહ્યુ કે, જનતા દળ યુનાઇટેડ (જેડીયૂ) દ્વારા અમારી પાર્ટી તોડવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચિરાગ પાસવાને કહ્યુ કે, બિહાર ચૂંટણી દરમિયાન, તેની પહેલા પણ, ત્યારબાદ પણ કેટલાક લોકો દ્વારા અને ખાસ કરી જનતા દળ યુનાઇટેડ દ્વારા અમારી પાર્ટીને તોડવાના સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં હતા. મારી પાર્ટીએ સમર્થનની સાથે ચૂંટણી લડી. કેટલાક લોકો સંઘર્ષના રસ્તે ચાલવામાટે તૈયાર નહતા. મારા કાકાએ ખુદ ચૂંટણી પ્રચારમાં કોઈ ભૂમિકા ભજવી નહીં. મારી પાર્ટીના અન્ય સાંસદો પણ પોતાની વ્યક્તિગત ચૂંટણીમાં વ્યસ્ત હતા. 


VivaTech 5th edition: જ્યાં કન્વેન્શન નિષ્ફળ થાય ત્યાં કામ આવે છે ઇનોવેશનઃ PM મોદી  


ચિરાગ પાસવાને કહ્યુ કે, બિહાર ચૂંટણીમાં અમને 6 ટકા મત મળ્યા અને 25 લાખ મત. હું માનુ છું કે જો અમે ભાજપ અને જેડીયૂ સાથે ચૂંટણી લડ્યા હોત તો લોકસભા ચૂંટણી જેવું પરિણામ આવત. પરંતુ મારે નીતીશ કુમારની સામે નતમસ્કત થવુ પડત. વિધાનસભા ચૂંટણી દરમિયાન અમારી પાર્ટીના કેટલાક નેતા, જેમાં મારા કાકા પણ સામેલ હતા, તે પોત-પોતાની અંગત લડાઈ લડી રહ્યાં હતા ન કે પાર્ટીની. તેણે કહ્યું કે, મને તે વાતનું દુખ છે કે હું બીમાર થયો તો આ બધુ થયું. મેં અંત સુધી પ્રયાસ કર્યો કે પરિવાર તૂટે નહીં. 


કાકાએ કહ્યું હોત તો સંસદીય દળના નેતા બનાવી દેત
પાસવાને કહ્યુ કે, જો મારા કાકાએ મને કહ્યું હોત કે તે સંસદીય દળના નેતા બનવા ઈચ્છે છે તો હું તૈયાર થયો હોત. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube