નવી દિલ્હીઃ Captain Varun Singh Health Update: ભારતીય વાયુસેનાના અધિકારી પ્રમાણે હેલીકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચેલા ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહની સ્થિતિ નાજુબ છે. નિવેદન પ્રમાણે હાલ તેમની સ્થિતિ સ્થિર છે. આ સમયે તેઓ બેંગલુરૂ કમાન્ડ હોસ્પિટલમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. સૂત્રોએ કહ્યું કે, બેંગલુરૂની એક ખાનગી હોસ્પિટલ અને એક સરકારી હોસ્પિટલના સ્વાસ્થ્ય નિષ્ણાંત ગ્રુપે કેપ્ટન વરૂણ સિંહની સારવાર કરી રહેલી મેડિકલ ટીમને બેંગલુરૂના એર ફોર્સ કમાન્ડ હોસ્પિટલમાં સલાહ આપી રહી છે. કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ રવિવારે કમાન્ડ હોસ્પિટલનો પ્રવાસ કર્યો અને વાયુસેના અધિકારીની સારવાર માટે રાજ્ય સરકાર તરફથી દરેક મદદનું આશ્વાસન આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરૂવારે સિંહને આગળની સારવાર માટે વેલિંગટનની સૈન્ય હોસ્પિટલમાંથી બેંગલુરૂ વાયુસેના કમાન હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ગ્રુપ કેપ્ટનને હાલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અસાધારણ વીતરા કાર્ય માટે શૌર્ય ચક્રથી સન્માનિત કર્યા હતા. ભારતના પ્રથમ સીડીએસ સહિત  Mi-17V5 હેલીકોપ્ટરમાં સવાર 14 લોકોમાંથી 13 લોકોના 8 ડિસેમ્બરે નિધન થયા હતા. દુર્ઘટનામાં જીવ ગુમાવનારમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા પણ સામેલ છે. 
 


મહારાષ્ટ્રમાં Omicron નો કહેર, નવા 8 કેસ નોંધાયા, નથી કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube