નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં નાગરિકતા(સંશોધન) બિલ-2019 (Citizenship Amendment Bill-2019) રજુ કર્યું હતું. વિરોધ પક્ષો દ્વારા તેને મુળભૂત રીતે ગેરબંધારણિય જણાવ્યું અને ભારતીય બંધારણના અનુચ્છેદ-14નું ઉલ્લંઘન જણાવતા આ બિલ(Bill) બાબતે સખત વાંધો ઉઠાવ્યો હતો. નિચલા ગૃહમાં આ બિલની તરફેણમાં 293, જ્યારે વિરોધમાં 82 મત પડ્યા હતા. જાણો આ બિલમાં વિવાદિત શું છે, અગાઉ શું હતું અને હવે કયા ફેરફાર થવા જઈ રહ્યા છે, અગાઉ નાગરિક્તા બિલમાં કેટલી વખત સંશોધન થઈ ચુક્યું છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બિલ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(Amit Shah) વિરોધ પક્ષના આરોપોને ફગાવી દેતા જણાવ્યું કે, "હું વિશ્વાસ અપાવું છું કે, આ બિલ(Bill) ભારતીય બંધારણની કોઈ પણ અનુચ્છેદનું ઉલ્લંઘન કરતું નથી અને કોઈ પણ નાગરિકને તેના અધિકારોથી વંચિત કરવામાં નહીં આવે."


નાગરિક્તા(સંશોધન) બિલ-2019માં શું જોગવાઈઓ છે? 
1. મોદી સરકાર તરફથી જે નવું બિલ રજુ કરાયું છે તેને નાગરિકતા (સંશોધન) બિલ-2019 (Citizenship Amendment Bill-2019) નામ અપાયું છે. આ બિલ પસાર થઈ ગયા પછી સિટિઝન એક્ટ, 1955માં સુધારો થશે. 


2. મોદી સરકારના આ બિલ અંતર્ગત અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાનથી આવનારા 6 લાખ લઘુમતિ (હિન્દુ, શિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) શરણાર્થીઓને ભારતની નાગરિક્તા આપવામાં આવશે. 


3. તેની સાથે જ આ તમામ શરણાર્થીઓને ભારતમાં ગેરકાયદે નાગરિક તરીકે ગણાશે નહીં. વર્તમાન કાયદા અંતર્ગત ભારતમાં ગેરકાયદે રીતે પ્રવેશ કરી ગયેલા લોકોને તેમના દેશ પરત મોકલવાની કે પછી તેમને અટકમાં લેવાની જોગવાઈ છે. 


4. આ તમામ શરણાર્થીઓને બારતમાં હવે નાગરિકતા મેળવવા માટે ઓછામાં ઓછા 6 વર્ષ રહેવું પડશે. અગાઉ આ સમયમર્યાદા 11 વર્ષ હતી. 


નાગરિક્તા સંશોધન બિલઃ દેશના વધુ ભાગલા થઈ રહ્યા હોવાનું જણાવી ઓવૈસીએ ફાડી નકલ


5. અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મિઝોરમના 'ઈનર લાઈન પરમિટ એરિયા'ને આ બિલમાંથી બહાર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, આ બિલ નોર્થ ઈસ્ટના છઠ્ઠા અનુચ્છેદનો પણ બચાવ કરે છે. 


6. નવા કાયદા અનુસાર, અફઘાનિસ્તાન-બાંગ્લાદેશ-પાકિસ્તાનથી આવેલો કોઈ પણ હિન્દુ, જૈન, શિખ, બૌદ્ધ, ખ્રિસ્તિ નાગરિક કે જે 31 ડિસેમ્બર, 2014થી પહેલા ભારતમાં આવ્યો હોય તેને ગેરકાયદે નાગરિક માનવામાં આવશે નહીં. 


7. આ બિલ અનુસાર, જે કોઈ નાગરિક OCI હોલ્ડર છે, તેણે જો કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તો તેને એક વખત તેનો પક્ષ મુકવાની તક આપવામાં આવશે. 


નાગરિક્તા સંશોધન બિલ 2019 : પડોશી દેશોમાંથી આવેલા શરણાર્થીઓની સંખ્યા કેટલી?


3. પૂર્વોત્તરના રાજ્યોમાં આ બિલનો સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે. પૂર્વોત્તરના લોકોનું માનવું છે કે, બાંગ્લાદેશથી આવેલા મોટાભાગના હિન્દુ આવીને અસમ, અરૂણાચલ, મણિપુર જેવા રાજ્યોમાં વસે છે. આવી સ્થિતિમાં આ બિલ પૂર્વત્તરનાં રાજ્યો માટે ઉચિત નહીં રહે. પૂર્વોત્તરમાં અનેક વિદ્યાર્થી સંગઠન, રાજકીય પક્ષો પણ આ બિલના વિરોધમાં છે. 


4. એક આરોપ એવો પણ છે કે વર્તમાન સરકાર હિન્દુ મતદારોને પોતાની તરફેણમાં કરવાનો પ્રયાસ કરવા માટે પ્રવાસી હિન્દુઓને ભારતની નાગરિક્તા આપીને તેમને અહીં વસાવવા માગે છે. 


5. એક આરોપ એવો પણ છે કે, સરકાર આ બિલના બહાને એનઆરસી લિસ્ટમાંથી બહાર થઈ ગયેલા ગેરકાયદે હિન્દુઓને ફરીથી ભારતીય નાગરિક્તા મેળવવામાં મદદ કરવા માગે છે. 


નાગરિક્તા સંશોધન બિલઃ ખોટું સાબિત કરી આપો, બિલ પાછું ખેંચી લઈશ- અમિત શાહ


ભારતીય નાગરિકતા કેવી રીતે સમાપ્ત થઈ શકે? 


  • જો કોઈ સ્વેચ્છાએ ભારતીય નાગરિકતાનો ત્યાગ કરે. 

  • જો કોઈ બીજા દેશની નાગરિકતાનો સ્વિકાર કરે. 

  • જો સરકાર કોઈ વ્યક્તિની નાગરિકતા છિનવી લે. 


છેલ્લા બે વર્ષમાં અમદાવાદ-ગાંધીનગરમાં અકસ્માતમાં 729 લોકોનાં મોત... જુઓ અહેવાલ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....