નવી દિલ્હી: ખુબ જ ચર્ચાસ્પદ નાગરિકતા સંશોધન બિલ પર હાલ રાજ્યસભામાં ચર્ચા ચાલી રહી છે. બિલ સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભામાં બહુમત સાથે પસાર થઈ ગયું છે. લોકસભામાં બિલના પક્ષમાં 311 મત પડ્યા હતાં જ્યારે વિરોધમાં 80 મત પડ્યાં હતાં. પરંતુ રાજ્યસભામાં આ બિલ પાસ કરવું જદ્દોજહેમતભર્યું છે. જો કે રાજ્યસભામાં હાલ તો મોદી સરકારનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. પરંતુ એ વાત પણ સાચી છે કે જો થોડો પણ ઉલટફેર થયો તો મોદી સરકાર માટે આ બિલ રાજ્યસભામાં પાસ કરાવવા માટે ભારે પડી શકે છે. આવો આપણે જોઈએ કે રાજ્યસભામાં હાલ શું સ્થિતિ છે....નંબરગેમ પ્રમાણે ભાજપ માટે હાલ તો સ્થિતિ સારી છે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાગરિકતા સંશોધન બિલ: જે તારીખથી શરણાર્થી ભારત આવ્યા છે તેમને તે દિવસથી નાગરિકતા મળશે: અમિત શાહ


બહુમતનો આંકડો અને ભાજપનું ગણિત
વિપક્ષના પ્રચંડ વિરોધ વચ્ચે રાજ્યસભામાં હાલની સ્થિતિ જોઈએ તો સંખ્યાબળ ભાજપના નેતૃત્વવાળા એનડીએના પક્ષમાં જોવા મળી રહ્યું છે. સદનની કુલ સંખ્યા 245 છે. પરંતુ હજુ પણ પાંચ બેઠકો ખાલી છે. જેને જોતા હાલ રાજ્યસભામાં સંખ્યા 240 છે. ભાજપને નાગરિકતા સંશોધન બિલ પાસ કરાવવા માટે 121 સાંસદોનું સમર્થન જરૂરી છે. રાજ્યસભામાં ભાજપના 83 સાંસદ છે. એમ જોતા ભાજપને બહુમત માટે 38 સાંસદોનું સમર્થન જોઈએ છે. 


જો કે ભાજપ પૂરતો વિશ્વાસ ધરાવે છે કે આ બિલ રાજ્યસભામાં પણ પાસ થઈ જશે. કારણ કે કેટલાક પક્ષોનું ભાજપને સમર્થન છે. આ પક્ષોમાં AIADMK (11), JDU (6), SAD (શિરોમણી અકાલી દળ 3), અપક્ષો અને અન્યો મળીને 13 રાજ્યસભા સાંસદોનો સમાવેશ થાય છે. આ બધા થઈને કુલ 116 સાંસદો થાય છે. આ ઉપરાંત બીજુ જનતા દળના 7 સાંસદો, વાયએસઆર કોંગ્રેસના 2 અને ટીડીપીના 2 સાંસદો પણ સરકારને સમર્થન આપી શકે છે. આમ બધુ થઈને ભાજપને રાજ્યસભામાં 127 સાંસદોનું સમર્થન મળી શકે છે. 


આ VIDEO પણ જુઓ...


દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube