ચંદીગઢ: કેપ્ટન અમરિંદર સિંહ (Capt. Amarindar Singh) ના રાજીનામાની થોડીવાર પછી શરૂ થયેલી ધારાસભ્ય દળની બેઠક (CLP Meeting) હવે ખતમ થઇ ગઇ છે. આ બેઠકમાં પંજાબના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવાનું હતું. નવા સીએમની રેસમાં અત્યાર સુધી સુની જાઝડ (Sunil Kumar Jakhar) નું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું, પરંતુ હવે આ રેસમાં નવું નામ સામેલ થઇ ગયું. ધારાસભ્ય દળની બેઠકમાં મોટાભાગના ધારાસભ્યોની સુખજિંદર સિંહ રંઘાવા (Sukhjinder Singh Randhawa) ને પંજાબના નવા સીએમ બનાવવાની માંગ કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવજોત સિંહ સિદ્ધૂ પણ રેસમાં આગળ
આ તમામ નેતાઓના મુખ્યમંત્રીની રેસમાં નામ હોવાની સાથે સાથે પંજાબ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂનું નામ પણ મુખ્યમંત્રી તરીકે ચર્ચામાં છે. જોકે સૂત્રોનું કહેવું છે કે 2022માં થનાર વિધાનસભા ચૂંટણી નવજોત સિંહ સિદ્ધૂને મુખ્યમંત્રીનો ચહેરો રાખીને લડવાને તૈયારી કરવામાં આવી રહી છે. પંજાબ સરકારે એકસમયે મંત્રી રહી ચૂકેલા વરિષ્ઠ મહિલા નેતાનું કહેવું છે. એવામાં એક સંભાવના એ પણ બની રહી છે કે નવજોત સિંહ સિદ્ધૂને પંજાબના મુખ્યમંત્રી બનાવી શકાય છે. પંજાબમાં રાજકીય ગરમાવો તેજ થઇ ગયો છે. આજે જ નવા સીએમના નામની જાહેરાત થવાના અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા.  

Captain Amarinder Singh એ આપ્યું રાજીનામું, સુનીલ જાખર બની શકે છે પંજાબના નવા CM


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube