લખનઉ: ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં થયેલા નરસંહારમાં 10 લોકોના મોત બાદ સીએમ યોગી આદિત્યનાથે આ ઘટના પ્રત્યે ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. સીએમ યોગીએ આ ઘટના માટે સીધી રીતે કોંગ્રેસને જવાબદાર ઠેરવી, તેમણે કહ્યું કે આ ઘટનાનો પાયો તો 1955માં જ પડી ગયો હતો. જ્યારે કોંગ્રેસની સરકાર હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનભદ્ર જઈ રહેલા પ્રિયંકા ગાંધીના કાફલાને પોલીસે રોક્યો, પ્રિયંકાએ કહ્યું-'ગમે તે કરો અમે ઝૂકીશું નહીં'


બે સભ્યની ટીમને સોંપ્યો રિપોર્ટ
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે ઘટનાની કાર્યવાહીના તરત આદેશ આપી દેવાયા છે અને બે સભ્યની કમિટી પણ બનાવવામાં આવી છે. જેમણે ઘટનાના 24 કલાકની અંદર રિપોર્ટ સોંપ્યો છે. 


ઘટનાનો પાયો 1955માં જ પડી ગયો હતો
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે ઘટનાનો પાયો તો 1955માં જ પડી ગયો હતો જ્યારે તત્કાલિન તહસીલદારે આદર્શ સહકારી સમિતિના નામ પર ગ્રામ સમાજની જમીન નોંધણી કરાવવાનું ગેરકાયદે કામ કર્યું હતું. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...