નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)  હાલ પોતાના સંસદીય મતવિસ્તાર વાયનાડની મુલાકાતે છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરતી વખતે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ (Kamalnath) ના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કમલનાથના નિવેદન સાથે અસહમતિ વ્યક્ત કરી, રાહુલ ગાંધીએ કહ્યું કે  કોઈ પણ મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કરી શકે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિવાદિત નિવેદન પર કમલનાથની વિચિત્ર સ્પષ્ટતા, 'હું પણ આઈટમ, તમે પણ આઈટમ'


મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી ઈમરતી દેવીને 'આઈટમ' કહેવા બદલ વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે "કમલનાથજી મારી પાર્ટીના છે, પરંતુ જે પ્રકારની ભાષાનો તેમણે ઉપયોગ કર્યો છે તેને હું પસંદ કરતો નથી. હું તેને એપ્રિશિએટ કરતો નથી. આ દુર્ભાગ્યપૂર્ણ છે." રાહુલ ગાંધીએ કહ્યું કે જે પ્રકારનો વ્યવહાર મહિલાઓ સાથે થાય છે તેને સુધારવાની જરૂર છે. મહિલાઓ આપણી શાન છે. હું આવી ભાષાને પ્રોત્સાહન આપતો નથી.  રાહુલ ગાંધી ત્રણ દિવસના પ્રવાસે વાયનાડ પહોંચ્યા છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિશાના પર મોદી સરકાર છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કોરોના મહામારીના કારણે દુનિયા સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. આ ખરાબ સમયગાળો છે અને કેન્દ્રને અપીલ કરી હતી કે ગરીબોની મદદ કરો. 


દેશમાં ફરીથી લાગશે લોકડાઉન? અમિત શાહે આપ્યો આ જવાબ


કમલનાથે દગો કર્યાનો લગાવ્યો આરોપ
વિવાદ બાદ કમલનાથે કહ્યું કે "શિવરાજજી તમે કહો છો કે કમલનાથે આઈટમ કહ્યું. હાં મે આઈટમ કહ્યું. કારણ કે આ કોઈ અપમાનજનક શબ્દ નથી. હું પણ આઈટમ છું તમે પણ આઈટમ છો અને આ અર્થમાં આપણે બધા આઈટમ છીએ. લોકસભા અને વિધાનસભાની કાર્યસૂચિમાં આઈટમ નંબર લખવામાં આવે છે. શું તે અપમાનજનક છે? સામે આવો અને મુકાબલો કરો. સહાનુભૂતિ અને દયા ભેગી કરવાની કોશિશ એ જ લોકો કરે છે જેમણે જનતાને દગો કર્યો હોય."


કઈ વાત પર શરૂ થયો વિવાદ
મધ્ય પ્રદેશમાં પેટાચૂંટણી થઈ રહી છે અને કમલનાથ ડબરામાં કોંગ્રેસના ઉમેદવાર સુરેશ રાજેના સમર્થનમાં પ્રચાર માટે પહોંચ્યા હતાં. પ્રચાર દરમિયાન તેઓ પોતાની મર્યાદા ભૂલ્યા અને ભાજપના ઉમેદવાર ઈમરતી દેવીને આઈટમ કહી દીધુ. આ બાજુ કોંગ્રેસ નેતા અજય સિંહે જલેબી કહી નાખ્યું. 


CM શિવરાજ સિંહ ચૌહાણે સોનિયા ગાંધીને લખ્યો પત્ર, કમલનાથ વિરુદ્ધ કાર્યવાહીની કરી માગ


શિવરાજ સિંહે ગણાવ્યું મધ્ય પ્રદેશની દીકરીઓનું અપમાન
કમલનાથના નિવેદન પર મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ નિશાન સાધ્યું  અને ભોપાલમાં બે કલાકના મૌન ધરણા પર બેઠા. તેમણે કહ્યું કે 'આ ફક્ત ઈમરતી દેવીનું નહીં પરંતુ મધ્ય પ્રદેશની દીકરીઓ/બહેનોનું પણ અપમાન છે. કમલનાથ એક પુત્રી માટે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. જેણે આટલા લાંબા સમય સુધી કોંગ્રેસની સેવા કરી. આ એ જ દેશ છે, જ્યાં દ્રોપદીનો અનાદર કરતા મહાભારત થયું હતું. લોકો આ સહન નહીં કરે. તેમને શરમ આવવી જોઈએ.'


બિહાર ચૂંટણી સંલગ્ન તમામ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube