ભુવનેશ્વર: ઓડિશામાં મતગણતરીના એક દિવસ પહેલાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નિરંજન પટનાયકે બુધવારે સ્વિકાર કર્યો કે કોંગ્રેસ રાજ્યમાં પોતાના દમ પર સરકાર બનાવી શકશે નહી અને તે પોતાનો વિપક્ષનો દરજ્જો ગુમાવી શકે છે. પટનાયકનું નિવેદન આ સંકેત આપે છે કે ઓડિશામાં બીજદ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. તેના આ નિવેદન બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા આ સ્થિતિ માટે પાર્ટી પ્રદેશ નેતૃત્વ પર ખુલેઆમ આરોપ લગાવવા લાગ્યા. પટનાયકે એક્ઝિટ પોલ પૂર્વાનુમાનો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું ''અમે (કોંગ્રેસ) રાજ્યમાં પોતાના બળ પર સરકાર બનાવી શકશે નહી. જોકે 2014 કરતાં અમારું પ્રદર્શન સારું રહેશે.''

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો NDAને બહુમત નહીં મળે તો વિરોધ પક્ષો તાબડતોબ ઉઠાવશે 'આ' પગલું


તેમણે કહ્યું કે ''અમે વિપક્ષનો દરજ્જો પણ ગુમાવી શકીએ છીએ.' કોંગ્રેસે 2014માં ઓડિશા વિધાનસભામાં કુલ 147 સીટોમાંથી માત્ર 16 પર જીત નોંધાવી હતી અને લોકસભાની ચૂંટણીમાં પોતાનું ખાતું ખોલાવવામાં અસફળ રહી હતી. આ વખતના એક્ઝિટ પોલમાં પાર્ટી માટે 15 વિધાનસભા સીટો અને એક લોકસભા સીટનું અનુમાન વ્યક્ત કર્યું છે. મોટાભાગના એક્ઝિટ પોલના પૂર્વાનુમાનોમાં આ વખતે ઓડિશામાં ભાજપના શાનદાર પ્રદર્શનની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 
 


લોકસભા ચૂંટણી પરિણામ 2019, પરિણામ અને ટ્રેન્ડ, જૂઓ LIVE અપડેટ


તેમણે કહ્યું કે 'પ્રદેશ નેતૃત્વ રાહુલ ગાંધીની ન્યાય યોજના અને ખેડૂતો માટે કાર્યક્રમોનો પ્રચાર કરવામાં અસફળ રહી. સાથે જ પાર્ટી ટિકીટ વહેંચણી અને ચૂંટણી મેનેજમેન્ટમાં પોતાની નીતિ યથાવત રાખવામાં અસફળ રહી...મેં મારું રાજીનામું પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષને મોકલી દીધું છે. પૂર્વી મંત્રીએ કહ્યું કે પાર્ટીમાં ભૂલોને સુધારવી જોઇએ અને આ તક ગુમાવવાને લઇને ચર્ચા પર થવી જોઇએ. જગન્નાથ પટનાયકે કહ્યું કે 'હું એટલા માટે પ્રદેશ કોંગ્રેસ કમિટી અથવા અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીમાંથી રાજીનામું આપ્યું નથી. 

શું દિલ્હીમાં ભાજપ ફરીથી જીતશે સાત સીટો? કોંગ્રેસ-આપ ખોલી શકશે ખાતું?


સુકિંદા વિધાનસભા સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર તથા પૂર્વ મંત્રી સરત રાઉતે સીધા ઓડિશા પ્રદેશ કોંગ્રેસ કમિટીને જવાબદાર ગણાવી અને તેના પર ચૂંટણી પર મેનેજમેન્ટમાં અસફળ રહેવાનો આરોપ લગાવ્યો.