નવી દિલ્હી: કોંગ્રેસના નેતા અને ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મિઝોરમના પૂર્વ રાજ્યપાલ અઝીઝ કુરેશીએ રવિવારે પુલવામા હુમલા પર વિવાદિત નિવેદન આપ્યું છે. મધ્ય પ્રદેશના સીહોરમાં તેમણે કહ્યું કે પુલવામામાં આતંકી ઘૂસ્યા કઇ રીતે, જનતા બધુ જ સમજે છે. અઝીઝ કુરેશીએ પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સધતા મોટું નિવેદન આપ્યું છે. કુરૈશીએ પુલવામા હુમલાને પીએમ મોદીનું એક ઇરાદાપૂર્વક કાવતરૂ કહ્યું છે. તેમણે કહ્યું કે પુલવામા આતંકી હુમલો પ્લાન કરી તમે કરાવ્યો છે જેથી તક મળી શકે, જનતા સમજે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...


કોંગ્રેસ નેતા અઝીઝ કુરેશીએ કહ્યું કે, જો પીએમ મોદી ઇચ્છે તો 42 શહીદોની ચિતાઓની રાખથી તમારું રાજતિલક કરી લો. પરંતુ જનતા તમન તે કરવા દેશે નહીં. કુરૈશીએ દિગ્વિજય સિંહની સામે ભાજપ ઉમેદવાર જાહેર ન કરી શકતા કહ્યું કે, ભાજપ વરરાજા વગરનો વરઘોડો છે. જમનો સહેરો બાંધતા જ ભાગી જાય છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...