નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દ્વારા દેશ વિરોધીઓ અને પાકિસ્તાન તરફી ભાગલાવાદીઓના સમર્થનમાં એક તાજુ નિવેદન સામે આવ્યું છે. તિહાડ જેલમાં  બંધ જમ્મુ અને કાશ્મીરના ભાગલાવાદી નેતા યાસીન મલિકની ધરપકડ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા પીસી ચાકોનો આજે દર્દ છલકાઈ આવ્યું. કોંગ્રેસના નેતાએ યાસીન મલિકને તિહાડ જેલમાં મોકલવાની ઘટનાને બંદૂકની અણી પર કરાયેલી ધરપકડ ગણાવતા તેને ખોટું ગણાવ્યું છે. પીસી ચાકોએ કહ્યું કે, 'સાધ્વી પ્રજ્ઞા ઠાકુર કે જે પોતે આરોપી છે તેઓ ચૂંટણી લડી રહ્યાં છે, જ્યારે અલગાવવાદના નામ પર કોઈ યાસીન મલિકને બંદૂકની અણી પર સરન્ડર કરવાનું કહેવાયું. કોઈ પણ સ્વાભિમાની વ્યક્તિ એવી જ પ્રતિક્રિયા આપશે જેવી યાસીન મલિકે આપી છે. '


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશની આઝાદી અને વિકાસમાં મોહમ્મદ અલી જિન્નાહનું પણ યોગદાન: શત્રુઘ્ન સિન્હા


પીસી ચાકોએ વધુમાં કહ્યું કે, 'જો કે અમે યાસીન મલિકની વિચારધારાનું સમર્થન નથી કરતા પરંતુ તેમણે જે સાહસ દેખાડ્યું છે તે કઈંક એવું જ છે જેને બિરદાવવું જોઈએ. કારણ કે નવી દિલ્હી (કેન્દ્ર) કોઈને ધમકી આપી શકે નહીં, ભારત એક લોકતંત્ર છે.'


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...