ગુવાહાટીઃ અસમ વિધાનસભા ચૂંટણી (Assam Assembly elections 2021) માટે કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. ગુવાહાટીમાં કોંગ્રેસના મેનિફેસ્ટો જાહેર કરવાના કાર્યક્રમમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) હાજર રહ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યુ- આપણે બધા જાણીએ છીએ કે આરએસએસ અને ભાજપ દેશની વિવિધતાથી ભરેલી સંસ્કૃતિ પર હુમલો કરી રહ્યા છે. આરએસએસ અને ભાજપ આપણી ભાષા પર, આપણા ઈતિહાસ પર, આપણી વિચારવાની રીત પર. આપણા રહેવાની રીત પર હુમલો કરે છે. આ મેનિફેસ્ટો તે વાતની ગેરંટી છે કે અમે અસમ રાજ્યના વિચારને સુરક્ષિત કરવા માટે લડીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અસમ માટે જાહેર કરાયેલા મેનિફેસ્ટોમાં કોંગ્રેસે તે પાંચ યોજનાઓને પ્રાથમિકતા આપી છે, જેના વિશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘણા મંચો પર બોલી ચુક્યા છે. જોરહાટમાં થયેલી રેલીમાં પણ તેમણે કહ્યુ કે, જો અસમમાં તેમની સરકાર બને છે તો તે પાંચ ગેરંટી લાગૂ કરશે. આ પાંચ ગેરંટીની વાત કોંગ્રેસના મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે. 


Assam: PM મોદીની ભાવનાત્મક અપીલ, એક 'ચા'વાળો તમારા દુખને નહીં સમજે તો કોણ સમજશે


ગુવાહાટીમાં મેનિફેક્ટો જારી કરતા પહેલા ગાંધીએ જોરહાટમાં એક રેલીને સંબોધિત કરી હતી. જ્યાં તેમણે કહ્યુ કે, તમારા પૈસા તમારા શિક્ષણમાં, તમારા  સ્વાસ્થ્યમાં, તમારા રોજગારમાં જશે, તે કોઈના ખિસ્સામાં જશે નહીં. અસમમાં ઘણા સરકારી પદો ખાલી છે, તે પદ ભરવામાં આવશે.


રાહુલ ગાંધીએ કહ્યુ કે, અમે નાના અને મિડલ સાઇઝ બિઝનેસની મદદ કરીશું. આ પ્રદેશ તમારો પ્રદેશ છે, તેને નાગપુરથી ન ચલાવી શકાય. આ લોકો અસમને બીજાના હવાલે કરી દે છે. તમારે ત્યાં એરપોર્ટ હતું જે અદાણીને પકડાવી દેવામાં આવ્યું. કોંગ્રેસની સરકાર બનશે, મહાજોતની સરકાર બનશે. તમારા અધિકારીની, ગરીબોના અધિકારોની રક્ષા કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube