નવી દિલ્હી: આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ પર તેમને યાદ કરવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એકવાર ફરીથી હિન્દુત્વવાદી રાગ આલાપ્યો છે. મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર ટ્વીટ કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે એક હિન્દુત્વવાદીએ ગાંધીજીને ગોળી મારી હતી. પરંતુ બાપુ હજુ જીવિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક હિન્દુત્વવાદીએ ગાંધીજીને ગોળી મારી હતી
રાહુલ ગાંધીએ એક પોસ્ટર પણ શેર કર્યુ. જેના પર શહીદ દિવસ લખેલુ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે એક હિન્દુત્વવાધીએ ગાંધીજીને ગોળી મારી હતી. બધા હિન્દુત્વવાદીઓને લાગે છે કે ગાંધીજી નથી રહ્યા. જ્યાં સત્ય છે, ત્યાં આજે પણ બાપુ જીવિત છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube