નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માટે મંગળવારે ઉમેદવારોની જાહેરાત રકી હતી. આ યાદીમાં 26 ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે પશ્ચિમ બંગાળથી 25 અને મહારાષ્ટ્રથી 1 લોકસભા સીટ પર પોતાનાં ઉમેદવારોની જાહેરાત કરી છે. 
રાહુલની યોજના પર જેટલીનાં સવાલ: ખોટા વચનો આપી મત ઉઘરાવી લેવાનો કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, સંજય નિરુપમને ટિકિટ તો ફાળવી દેવામાં આવી છે પરંતુ તેમની પાસેથી મુંબઇ કોંગ્રેસ અધ્યક્ષનું પદ છીનવી લેવામાં આવ્યું છે. સંજય નિરુપમના સ્થાને મિલિંદ દેવડાને મુંબઇ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. નિરુપમનો કાર્યકાળ ઘણો વિવાદિત રહ્યો છે.નિરુપમે ચૂંટણી જીતવા માટે કાર્યકર્તાઓને પૈસા આપવાની વાત કરી હતી. નિરુપમ મુંબઇ સાઉથ સેન્ટ્રલ માટે કાર્યકર્તાઓને પૈસા આપવાની વાત કરી હતી. નિરુપમ સાઉથ સેન્ટ્રલના રાષ્ટ્રવાદી કોંગ્રેસનાં ઉમેદવાર એકનાથ ગાયકવાડનો પ્રચાર કરવા માટે જનસભામાં પહોંચ્યા હતા.


વિશ્વનાં સૌથી મોટા દાનવીરે આ ભારતીય વ્યક્તિનાં કર્યા વખાણ ! કારણ છે રસપ્રદ


જનસભામાં સંજય નિરુપમે કહ્યું કે, આપણે પૈસા વહેંચવામાં પંજાબ-શિવસેનાની બરાબરી નહી કરી શકીએ. તેણે સ્ટેજ પર બેઠેલા ઉમેદવાર ગાયકવાડને પુછ્યું કે, કેમ ગાયકવાડ સાહેબ પૈસા તો છેને તમારી પાસે, ભાજપ-શિવસેના જેટલા નહી પરંતુ પૈસા તો છે ને તો થોડા થોડા કાર્યકર્તાઓને પણ આપો. નિરુપમની આ વાત સાંભળીને ગાયકવાડ થોડા ઝંખવાણા પડી ગયા હતા.