રાહુલની યોજના પર જેટલીનાં સવાલ: ખોટા વચનો આપી મત ઉઘરાવી લેવાનો કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે

કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ બ્લોગ લખીને કોંગ્રેસની યોજના પર સવાલ ઉઠાવ્યા હતા, તેમણે કહ્યું કે, 7 દશકમાં કોંગ્રેસે માત્ર દગા જ કર્યા છે

રાહુલની યોજના પર જેટલીનાં સવાલ: ખોટા વચનો આપી મત ઉઘરાવી લેવાનો કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરી કે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તે 20 ટકા ગરીબ પરિવારનો વાર્ષિક 72 હજાર રૂપિયાનું લઘુત્તમ પેંશન આપશે. જો કે તેની રૂપરેખા અંગે કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. બીજી તરફ કોંગ્રેસની આ યોજના પર ભાજપે સવાલ ઉઠાવવાનાં શરૂ કરી દીધા છે. કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ બ્લોગ લખીને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, તમે લોકોની આંખોમાં ધુળ ઝોંકવાનું કામ કરી રહ્યા છો. 

અરૂણ જેટલીએ ત્યાર બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ઇંદિરાજી નારાઓને અર્થવ્યવસ્થાથી વધારે સારી રીતે સમજતા હતા. કોંગ્રેસ પાર્ટીએ 7 દસકાઓ સુધી ભારતને માત્ર દગો જ દીધો છે. 1971માં કોંગ્રેસે ગરીબી હટાવોનો નારો આપ્યો હતો. રાજીવ ગાંધી પાસે ગરીબી હટાવવાની તક હતી. પરંતુ કોંગ્રેસનું ધ્યાન હંમેશા ગરીબી કરતા નારાઓ પર જ રહ્યું. રાહુલ ગાંધી માત્ર ગરીબોની મજાક ઉડાવે છે. 

વડાપ્રધાને પોતાનાં વચન કરતા વધારે આપ્યું
અરૂણ જેટલી અનુસાર વડાપ્રધાન મોદીએ દેશમાં ગરીબોને પોતાનાં વચન કરતા વધારે આપ્યું છે. કોંગ્રેસનાં ખોટા વચનની જાહેરાતનો ઇતિહાસ રહ્યો છે. ગરીબી હટાવવાનાં નામે કોંગ્રેસનો ઉદ્દેશ્ય વ્યવસાય કરવાનો છે. કોંગ્રેસ યોજનાઓનાં નામે માત્ર છળવાનું કામ કરી રહી છે.કોંગ્રેસ કહી રહી છે કે તેનાં કારણે કોઇ આર્થિક બોજ નહી પડે. આજે કેન્દ્ર સરકારની 55 વિભાગની યોજનાઓ અમે ડીબીટીનાં માધ્યમથી જોડી છે. આજે અમારી સરકાર 5.3 લાખ કરોડ આપી રહી છે. 

અરૂણ જેટલીએ કહ્યું કે, અમે ડીબીટી તૈયાર કર્યું. કોંગ્રેસ આધારની લડાઇ સુપ્રીમ કોર્ટમાં લઇને ગઇ. હવે તેઓ તેના પર રાજનીતિ કરી રહ્યા છે. નારાઓથી ગરીબી નહી હટે. તેના માટે કામ કરવું પડે છે. આજે ફરીથી રાહુલ ગાંધીએ ગરીબીનાં નામે નારો આપી દીધો છે. જે એક પ્રકારનો દગો જ છે. કહેવાઇ રહ્યું છે કે તેમાં 5 કરોડ પરિવારનાં 25 કરોડ લોકોનો સમાવેશ થાય છે. તેના પર 3.6 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ રકમ દેશનાં સંરક્ષણ બજેટ કરતા પણ વધારે છે. માનવામાં આવે છેકે જો આ યોજના લાગુ થાય છે તો આર્થીક નુકસાન 10 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news