નવી દિલ્હી: દિલ્હી મેરઠ આરઆરટીએસ પ્રોજેક્ટ અંતર્ગત ભૂમિગત માર્ગના નિર્માણનો ઠેકો ચીની કંપનીને આપવા પર કોંગ્રેસે NCRTC અને સરકાર પર પ્રહાર કર્યો છે. પાર્ટીએ ટ્વીટ કરી કહ્યું કે, ઘુસણખોર ચીનને પ્રોજેક્ટ આપવામાં આવી રહ્યો છે અને ખેડૂતોને પોલીસનો લાઠીચાર્જ, કોંગ્રેસે ટ્વીટમાં લખ્યું, ચીનનું સન્માન, કિસાનોનું અપમાન, નહીં ભૂલે હિન્દુસ્તાન.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- વેક્સીન વિવાદો પર બોલ્યા ભારત બાયોટેકના MD- અમારી વેક્સીન પર ના કરો રાજકારણ


કોંગ્રેસે ટ્વીટની સાથે એક ટેમ્પલેટ શેર કર્યો છે જેમાં એક તરફ દિલ્હી-મેરઠ રેપિડ રેલવે પ્રોજેક્ટની તસ્વીર છે તો બીજી તરફ હરિયાણામાં આંદોલન કરી રહેલા ખેડૂતો પર પોલીસ લાઠીચાર્જની તસવીર છે. તેમાં લખ્યું છે કે, ઘૂસણખોર ચીનને મળ્યો દિલ્હી-મેરઠ રેપિડ રેલવે પ્રોજેક્ટ, ખેડૂતો પર હરિયાણા પોલીસની બર્બરતા, લાઠીચાર્જની સાથે ટિયર ગેસના સેલ પણ છોડ્યા. ચીનનું સન્માન, કિસાનોનું અપમાન, નહીં ભૂલે હિન્દુસ્તાન.


આ પણ વાંચો:- Farmers Protest: ખેડૂત અને સરકાર વચ્ચેની બેઠક ફરી નિષ્ફળ, 8 જાન્યુઆરીએ થશે ફરી એકવાર બેઠક


કોરોના વેક્સીન લેવાનો ઇનકાર કરી રહ્યા છે ફ્રન્ટ લાઇન વર્કર્સ, સામે આવ્યા ચોંકાવનારા આંકડા


બીજી તરફ, સરકાર દલીલ કરે છે કે દેશની પ્રથમ પ્રાદેશિક રેપિડ રેલ્વે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (આરઆરટીએસ) લાગુ કરતી એનસીઆરટીસીએ કહ્યું હતું કે કરાર આપવામાં આવેલી પ્રક્રિયા અને માર્ગદર્શિકા મુજબ આપવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી સરહદ પર તનાવના કારણે દેશમાં ચીની ચીજો અને ચીની કંપનીઓના બહિષ્કારની માંગ ઉભી થઈ રહી છે. આવી સ્થિતિમાં ચીની કંપનીને 1000 કરોડના કરારને કારણે રાજકીય વાવાઝોડું સર્જાયું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube