નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 71 હજાર જેટલા નવા કેસ નોંધાયા છે. નવા કેસમાં આજે સામાન્ય વધારો જોવા મળ્યો છે. કોરોનાના કારણે 1,217 લોકોના મૃત્યુ થયા છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં 1,70,87,06,705 ડોઝ પણ અપાઈ ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા 71 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 71,365 કેસ નોંધાયા છે. ગઈ કાલ કરતા સામાન્ય વધારો જોવા મળ્યો છે. ગઈ કાલે કોરોનાના નવા 67,597 કેસ નોંધાયા હતા. હાલ દેશમાં 8,92,828 લોકો સારવાર હેઠળ છે. કોરોનાથી રિકવરી રેટ પણ વધી રહ્યો છે. એક દિવસમાં 1,72,211 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા. હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ 96.70 ટકા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube