નવી દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19 (Covid 19) ના 62,714 નવા દર્દીઓ નોંધાયા છે. જે આ વર્ષે એક જ દિવસમાં આવેલા કોરોના કેસની સૌથી વધુ સંખ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ  કેસની સંખ્યા વધીને 1,19,71,624 પર પહોંચી ગઈ છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 300 પાર ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક દિવસમાં 62 હજારથી વધુ કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ કોરોના વાયરસ (Corona Virus) ના કેસમાં સતત 18માં દિવસે વૃદ્ધિ થઈ છે. દેશમાં 62,714 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા વધીને 1,19,71,624 પર પહોંચી છે. જ્યારે 1,13,23762 લોકો સાજા થયા છે અને 4,86,310 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક્ટિવ કેસની સંખ્યા કુલ કેસના 4.06 ટકા છે. જ્યારે રિકવરી રેટ ઘટીને 94.58 ટકા થયો છે. 


છેલ્લા 24 કલાકમાં 300થી વધુ લોકોના મોત
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 312 લોકોએ કોરોના વાયરસથી જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,61,552 પર પહોંચી ગયો છે. લગભગ ત્રણ મહિનામાં કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની આ સૌથી વધુ સંખ્યા છે. આ અગાઉ 25 ડિસેમ્બર 2020ના રોજ એક જ દિવસમાં કોરોનાથી 336 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભારતમાં કોવિડ 19થી મૃત્યુનો દર 1.35 ટકા છે. 


Mann Ki Baat : 'મન કી બાત'માં પીએમ મોદીએ સુરેન્દ્રનગરના ઝીંઝુવાડાનો કર્યો ઉલ્લેખ, જાણો શું કહ્યું?


PICS: પુષ્કળ દારૂ ઢીંચીને નશામાં ધૂત રહી મહિલા, બાજુમાં સૂતેલી દોઢ મહિનાની બાળકીનું ભૂખથી મોત


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube