નવી દિલ્હીઃ કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચે અંતર વધારીને 12થી 16 સપ્તાહ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાહેરાત કરી છે. મહત્વનું છે કે ગુરૂવારે સરકારી સમૂહ એનજીએજીઆઈએ કેન્દ્ર સરકારને કોવિશીલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચે અંતર વધારવા માટે ભલામણ કરવામાં આવી હતી. સરકારે તેનો સ્વીકાર કરી લીધો છે. અત્યાર સુધી કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે 6થી 8 સપ્તાહનું અંતર રાખવામાં આવતું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલના પૂરાવા, ખાસ કરીને બ્રિટનથી મળેલા પૂરાવાના આધાર પર કોવિડ-19 વર્કિંગ ગ્રુપે કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચે અંતર વધારીને 12થી 16 સપ્તાહ કરવાની ભલામણ કરી હતી. 


Cyclone Tauktae: કોરોના સંકટ વચ્ચે વાવાઝોડાનો ખતરો, નામ છે 'તૌકતે', જાણો તમામ માહિતી


દેશમાં અત્યાર સુધી 18 કરોડ વેક્સિનના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધી આશરે 18 કરોડ કોરોના વેક્સિન આપવામાં આવી ચુકી છે. અમેરિકામાં સૌથી વધુ 26 કરોડ ડોઝ લાગ્યા છે. ભારત કોરોના રસીના મામલામાં ત્રીજા સ્થાને છે. પોલે કહ્યુ કે, અમને ખુશી છે કે દેશમાં 45 વર્ષથી વધુ ઉંમરના એક તૃતિયાંશ લોકોને કોરોનાનું સુરક્ષા કવચ આપી દેવામાં આવ્યું છે. 45 કે તેનાથી વધુ ઉંમરના 88 ટકા લોકોના કોરોનાને કારમો મોત થયા છે. તેવામાં આ ઉંમર વર્ગના લોકોનું રસીકરણ જરૂરી હતું અને તેના પર પહેલા ફોકસ કરવામાં આવ્યું છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube