નવી દિલ્હી: દેશમાં વળી પાછો કોરોના (Corona Virus) નો પ્રકોપ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 35 હજારથી વધુ કોરોનાથી સંક્રમિત થયા છે જ્યારે એક જ દિવસમાં 172 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોના (Corona) ના સતત વધી રહેલા કેસથી રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર પણ ચિંતાતૂર છે. રસીકરણ અભિયાન ચાલતું હોવા છતાં જે રીતે કોરોનાનો રાફડો ફાટી રહ્યો છે તેને જોતા અલગ અલગ રાજ્યની સરકારો પોતાના સ્તરે કોરોનાને કાબૂમાં લેવા માટે નિર્ણય લઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 35 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 35,871 દર્દીઓ ઉમેરાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો વધીને 1,14,74,605 પર પહોંચ્યો છે. જેમાંથી 1,10,63,025 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા જ્યારે 2,52,364 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 172 લોકોનો ભોગ લીધો. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,59,216 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 3,71,43,255 લોકોને કોરોના રસી આપવામાં આવી છે. 


ઉત્તર પ્રદેશના આ વિસ્તારોમાં કલમ 144 લાગુ
કોરોનાના વધતા કેસ જોતા ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદમાં કલમ 144 લાગુ કરાઈ છે. 17 માર્ચથી 30 એપ્રિલ સુધી કલમ 144 લાગુ રહેશે. 


Tamilnadu assembly election 2021: આ એક બેઠક ખુબ ચર્ચામાં, 1000 ખેડૂતો નોંધાવશે ઉમેદવારી


Zomato ડિલિવરી બોય પર મુક્કો મારવાનો આરોપ લગાવનારી યુવતી અચાનક શહેર છોડીને જતી રહી, જાણો કારણ


Corona: દેશના 70 જિલ્લામાં કોરોનાના દર્દીની સંખ્યામાં 150% નો વધારો, સરકાર ચિંતાતૂર 


Coronavirus 2nd Wave: કોરોનાના વધતા કેસ પર મુખ્યમંત્રીઓને PM મોદીનો સંદેશ- નાના શહેરોમાં ટેસ્ટિંગ વધારવું પડશે


Shocking! પુત્રએ એવો કચકચાવીને વૃદ્ધ માતાને લાફો માર્યો, માતા મોતને ભેટી, ઘટના CCTV માં કેદ


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube