નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) નું સંક્રમણ એકબાજુ જ્યાં ઘટી રહ્યું હોય તેવા સંકેત આપે છે ત્યાં કેટલાક રાજ્યોમાં કોરોના ફરીથી એકવાર માથું ઉચકતો જોવા મળી રહ્યો છે. આવામાં રાજ્ય સરકાર અને ભારત સરકાર માટે સમસ્યા ઊભી થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 31,118 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 94,62,810 પર પહોંચી ગઈ છે. જેમાંથી 4,35,603 એક્ટિવ કેસ છે. જ્યારે 88,89,585 દર્દીઓ સાજા થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાએ એક જ દિવસમાં 482 લોકોનો ભોગ લીધો છે. દેશમાં કોરોનાથી મૃત્યુનો આંકડો 1,37,621 પર પહોંચી ગયો છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો  32,885 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ  5,28,315 લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે કુલ 9174 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યો છે. જ્યારે મહારાષ્ટ્રમાં  91,623 એક્ટિવ કોરોના કેસ છે. જ્યારે કુલ  16,85,122 લોકો કોરોના સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં અહીં 47,151 લોકોના કોરોનાથી જીવ ગયા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube