નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિતોના કેસ ઝડપથી વધી રહ્યાં છે. ભારતમાં કોરોનાના દર્દીઓ એક લાખની નજીક પહોંચ્યા છે. જ્યારે મોતનો આંકડો પણ 3 હજારને પાર કરી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધી સૌથી વધુ કોવિડ 19ના કેસ સામે આવ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસ 96169 છે. જેમાંથી 36,824 લોકો સાજા થયા છે. જ્યારે 56316 લોકો હજુ સારવાર હેઠળ છે. કોવિડ 19થી અત્યાર સુધીમાં દેશમાં કુલ 3029 લોકોએ જીવ ગુમાવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના કુલ 5242 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત 157 લોકોના મૃત્યુ થયા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube