નવી દિલ્હી: દેશના અનેક ભાગોમાં ચાલી રહેલા ઓક્સિજન (Oxygen) સંકટ વચ્ચે વાયુસેનાએ હવે મોરચો સંભાળ્યો છે. વાયુસેનાના વિમાનો દેશના અલગ અલગ ભાગોમાં ઓક્સિજન કન્ટેઈનર્સ પહોંચાડી રહ્યા છે. જેથી કરીને સપ્લાયના મિશનમાં તેજી આવી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'મિશન ઓક્સિજન' પર વાયુસેના
વાયુસેનાના વિમાનોથી ઓક્સિજન ટેન્કર ઉતારવામાં આવી રહ્યા છે. ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા એક શહેરથી બીજા શહેરમાં ઓક્સિજન ટેન્કર્સ પહોંચાડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત દેશના ઓક્સિજન પ્લાન્ટમાં દિવસ રાત કામ ચાલુ છે. એટલે કે કોરોના મહામારીના આ સંકટભર્યા સમયમાં દર્દીઓના જીવ બચાવવા માટે જે ઓક્સિજન સિલિન્ડરને સંજીવની માનવામાં આવી રહ્યા છે તેને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે યુદ્ધ સ્તરે કામ ચાલુ છે. 


સિંગાપુરથી મંગાવ્યો ઓક્સિજન
શનિવારે ભારતીય વાયુસેનાનું સૌથી મોટું માલવાહક વિમાન C-17 ગ્લોબમાસ્ટર ગાઝિયાબાદના હિંડન એરબેસ પરથી 4 ક્રાયોજેનિક ટેન્કર લઈને સિંગાપુર પહોંચ્યું અને ત્યારબાદ સિંગાપુરથી માલવાહક વિમાન ઓક્સિજન કન્ટેઈનર્સ લઈને પશ્ચિમ બંગાળના પાનાગઢ એરબેસ પર પાછું આવ્યું. 


Fight against Corona: 103 વર્ષના દાદાએ ઘરે રહીને જ કોરોનાને ધોબીપછાડ આપી, આ રીતે જીતી વાયરસ સામે જંગ


Corona: અરવિંદ કેજરીવાલે અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓને લખ્યો પત્ર, ઓક્સિજન માટે માંગી મદદ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube