નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારી વિરુદ્ધ દેશ આ સમયે એક મહાજંગ લડી રહ્યો છે. આ મહાજંગમાં દેશવાસીઓને આત્મવિશ્વાસ ઊંચો અને દરેકે એક રહેવાનું જરૂરી છે, આ ઇરાદાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારની રાત્રે દેશવાસિઓને દીપ પ્રગટાવવાનું કહ્યું હતું, જેનો નજારો વિશ્વએ જોયો. આ દરમિયાન વડાપ્રધાન આવાસમાં ખુદ વડાપ્રધાન મોદીએ પણ દીપ પ્રગટાવ્યો, પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેમના પરિધાનને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા અવસર પર શું પહેરે છે અને ક્યા પ્રકારનો સંદેશ આવે છે, તેને લઈને હંમેશા ચર્ચા જારી રહે છે. આવું કંઇક રવિવારે પણ થયું, જ્યારે દીપ પ્રાગટ્ય પર પીએમ મોદીએ બ્લૂ કુર્તો, સફેદ ધોતી અને ગળામાં ગમછો રાખ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકો તરફથી તેને લઈને પોત-પોતાના તર્ક આપવામાં આવ્યા છે.


સોશિયલ મીડિયા પર આવું રહ્યું રિએક્શન
ટ્વીટર યૂઝર વિવેક જૈને વડાપ્રધાનના વસ્ત્રોને લઈને લખ્યું, 'જો કોઈએ નોટિસ કર્યું હોય તો ધ્યાન આપો, કુર્તો ઉત્તરથી, ધોની દક્ષિણથી, ગમછો પૂર્વોત્તરથી અને પીએમ મોદી ખુદ પશ્ચિમથી... જય હિંદ.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર