નવી દિલ્હી: કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાને એકદમ સ્વસ્થ રાખવા માટે શું કરે છે? જ્યારે પીએમ મોદીએ આ અંગે જવાબ આપ્યો તો બધા ચકિત રહી ગયાં. તેમણે યોગ કરતા કેટલાક વીડિયો શેર કર્યા છે. હકીકતમાં રવિવારે મન કી બાતમાં એક વ્યક્તિએ પીએમ મોદીને ફિટનેસ પર સવાલ કર્યો હતો. હવે પીએમ મોદીએ વીડિયોઝ શેર કરીને તેનો જવાબ આપતા કહ્યું કે આશા છે કે લોકો પણ આ રીતે યોગ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું 21 દિવસ પછી પણ દેશમાં ચાલુ રહેશે લોકડાઉન? સરકારે આપ્યો આ જવાબ


પીએમ મોદીએ વીડિયો લાઈબ્રેરીની લિંક શેર કરતા લખ્યું કે મન કી બાતમાં કોઈએ મને ફિટનેસ પર સવાલ પૂછ્યો હતો. અહીં હું યોગ અંગે વીડિયોઝ શેર કરી રહ્યો છું. આશા છે કે તમે પણ રોજ યોગ કરશો. 


Coronavirus: તો શું ભારતમાં થશે 49 દિવસનું લોકડાઉન? ખાસ વાંચો અહેવાલ


મન કી બાતમાં રૂડકીના શશિ નામના એક વ્યક્તિએ પીએમ મોદીને સવાલ કર્યો હતો. આ સાથે જ તેમણે પીએમ મોદીને પૂછ્યું હતું કે તમે કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન નવરાત્રના વ્રત કેવી રીતે રાખી શકો છો. જેનો જવાબ મોદીએ સીધો ન આપ્યો. તેમણે કહ્યું કે આ તેમની અને શક્તિની ભક્તિ વચ્ચેનો વિષય છે. પરંતુ તેમણે એટલું જરૂર કહ્યું કે લોકડાઉનમાં બહાર નીકળવાની ના પાડી છે પરંતુ અંદર ઝાંકવાનો આ અવસર છે. તેમણે કહ્યું કે તમારી અંદર પ્રવેશ કરો, આ જ યોગ્ય સમય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...