નવી દિલ્હીઃ દેશમાં ઝડપથી વધતા કોરોના સંક્રમણે (Corona virus in india) સરકારની સાથે-સાથે ચિકિત્સા જગતની ચિંતા પણ વધારી દીધી છે. દેશના દિગ્ગજ ચિકિત્સા નિષ્ણાંતોએ બુધવારે આ મહામારીનો સામનો કરવાના ઉપાયો જણાવ્યા. નિષ્ણાંતોએ કહ્યુ કે, કોરોના સંક્રમણ હવે કોઈ અજાણી બીમારી નથી. આ કોમન સંક્રમણ બની ચુકી છે. તેના બચાવના ઉપાય જ તેનાથી બચવાના મજબૂત ઉપાય છે. સાચા સમયે સંક્રમણની ઓળખ થઈ જવી અને તત્કાલ સારવાર શરૂ કરવી ખુબ જરૂરી છે. એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા (Dr Randeep Guleria), નારાયણા હેલ્થના ડોક્ટર દેવી શેટ્ટી  (Dr Devi Shetty) અને મેદાંતા ગ્રુપના ડોક્ટર નરેશ ત્રેહન (Dr Naresh Trehan) એ દેશના લોકોને સંબોધિત કર્યા. 
નિષ્ણાંતોના આ ઉપાયો વિશે તમે પણ જાણો. 


નારાયણા હેલ્થના ચેરમેન ડો. દેવી શેટ્ટીએ જણાવ્યુ કે, જો તમને શરીરમાં દુખાવો, શરદી, ખાંસી, અપચો, ઉલટી થવી જેવા લક્ષણ છે તો તમે કોરોના ટેસ્ટ કરાવી લો. તે બીમારીની સારવારમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો તમે એસિમ્ટોમેટિક છો તો ડોક્ટર તમને ઘર પર આઇસોલેશનમાં રહેવા, માસ્ક પહેરવા અને તમારી ઓક્સિજન સ્થિતિને દર છ કલાકમાં ચેક કરવાનું કહેશે. આ કોરોના સંક્રમણની સારવારમાં જરૂરી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube