નવી દિલ્હી: દેશમાં વધતા કોરોના કેસ વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે કે, કોવિ઼ડ-19 થી સાજા થતા દર્દીઓનો રિકવરી રેટ 60 ટકાથી પણ વધારે થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોવિડ-19ના મામલે જલદી ખબર પડવા પર તેમને સમયસર ક્લીનિકલ પ્રબંધ થવાના કારણથી સાજા થવાના લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. શુક્રવારના દેશમાં કોરોના વાયરસ દર્દીઓના સાજા થવા પર રિકવરી રેટ 60 ટકાથી વધુ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- દિલ્હી NCRમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.7ની તીવ્રતા


મંત્રાલયે કહ્યું કે, કોવિડ-19 દર્દીઓના સાજા થવાનો રેટ 60.73 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં 20,033 કોરોના દર્દી સાજા થયા છે અને આ સાથે સજા થનાર દર્દીઓનું સંખ્યા 3,79,891 પહોંચી ગયો છે. જ્યારે દેશમાં 2,27,439 સંક્રમિતોની સારવાર ચાલી રહી છે.


આ પણ વાંચો:- ચીનને જવાબ આપવા માટે ભારતીય સેનાએ લદ્દાખમાં વધારી શક્તિ, 4 ડિવીઝન આર્મી તૈનાત


આઇસીએમઆરના જણાવ્યા અનુસાર, જુલાઈ સુધી દેશમાં કોવિડ-19 માટે 92,97,794 ટેસ્ટની તપાસ કરવામાં આવશે. ગુરૂવારના 2,41,576 કોરોના સેમ્પલને ટેસ્ટ કરવામાં આવ્યું છે. મંત્રાલયે આ વાત પર ભાર આપતા દેશમાં લેબની સંખ્યા વધતા રહેવાથી આ સંભવ થઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube