નવી દિલ્હી: દેશમાં હવે કોરોનાનું સંક્રમણ પાછું વધવા લાગ્યું છે જે ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં 40 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. એક દિવસમાં નવા 5233 કોવિડ કેસ નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 5233 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 7 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. હાલ દેશમાં કોરોનાના 28,857 દર્દીઓ સારવાર હેઠળ છે. 


નવા કેસમાં લગભગ 40 ટકા જેટલો માતબાર ઉછાળો જોવા મળતા ચિંતા ઊભી થઈ છે. આ અગાઉ ગઈ કાલે કોરોના વાયરસના નવા 3714 નવા કેસ નોંધાયા હતા. જ્યારે સોમવારે 6 જૂનના રોજ 4518 અને રવિવારે 5 જૂને 4270 કેસ નોંધાયા હતા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube