નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટ વચ્ચે વેક્સિનને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યુ કે, સરકાર, જુલાઈ 2021 સુધી દેશમાં 25 કરોડ લોકોને કોરોનાની વેક્સિન ઉપલબ્ધ કરાવશે. તેમણે આ વાત આજે સંડે કાર્યક્રમ દરમિયાન કહી છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, સરકારનું લક્ષ્ય, જુલાઈ 2021 સુધી 25 કરોડ લોકોને વેક્સિન ઉપલબ્ધ કરાવવાનું છે. તેમણે સાથે કહ્યું કે, સરકારને કોરોના વેક્સિનના 400થી 500 કરોડ ડોઝ પ્રાપ્ત થશે અને તેમાંથી આગામી વર્ષે જુલાઈ સુધી 25 કરોડ લોકોના ડોઝનો ઉપયોગ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને સંડે સંવાદ કાર્યક્રમ દરમિયાન કહ્યુ કે, અમારી સરકાર તે નક્કી કરવા માટે 24 કલાક કામ કરી રહી છે કે કોરોના વેક્સિન તૈયાર થયા બાદ તેનું સમાન વિતરણ કરે. સ્વાસ્થ્ય મંત્રીએ આગળ કહ્યું કે, અમારી પ્રાથમિકતા તે છે કે દેશના પ્રત્યેક વ્યક્તિ માટે વેક્સિન કઈ રીતે ઉપલબ્ધ થાય. તેમણે કહ્યું કે, કોરોના વેક્સિનના બધા પાસામાં એક ઉચ્ચ-સ્તરીય નિષ્ણાંત એકમ છે. 


તેમણે સાથે કહ્યું કે, અમારૂ મોટુ અનુમાન અને લક્ષ્ય છે કે જુલાઈ 2021 સુધી લગભગ 25 કરોડ લોકોને કોરોના વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવે. સરકારે કહ્યું કે, તે કુલ 400થી 500 કરોડ ડોઝ પ્રાપ્ત કરશે અને તેનો ઉપયોગ લોકોની સારવારમાં કરશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube