નવી દિલ્હીઃ Covid 19 Vaccination Update: દેશમાં કોરોના વિરુદ્ધ જંગને વધુ મજબૂતી મળી છે. ભારતે પોતાની કુલ વયસ્ક વસ્તીના 80 ટકા લોકોને કોરોના વેક્સીનના બંને ડોઝ લગાવી દીધા છે. આ સંબંધમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન જાહેર કરી જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનસુખ માંડવિયાએ ટ્વીટ કરતા લખ્યુ કે, બધાને વેક્સીન, ફ્રી વેક્સીન. ભારતે પોતાની 80% વયસ્ક વસ્તીને કોરોના વેક્સીનના બંને ડોઝ લગાવવાનો ઐતિહાસિક આંકડો પાર કરી લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'સબકા પ્રયાસ'ના મંત્રની સાથે દેશ 100 ટકા રસીકરણ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. 


એનઆઈએએ આઈપીએસ અધિકારી અરવિંદ દિગ્વિજય નેગીની કરી ધરપકડ, લશ્કર સાથે નિકળી લિંક


એક્ટિવ કેસ ઘટીને 2 લાખ 92 હજાર 92 થયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2 લાખ 92 હજાર 92 થઈ ગયા છે. તો મહામારીમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 5 લાખ 20 હજાર 905 થઈ ગયા છે. આંકડા પ્રમાણે અત્યાર સુધી 4 કરોડ 19 લાખ 77 હજાર 238 લોકો સંક્રમણ મુક્ત થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube