Madhras High Court: મદ્રાસ હાઈકોર્ટે હાલમાં એવું અવલોકન કર્યું હતું કે પતિ-પત્ની વચ્ચે વૈવાહિક વિવાદ હોય ત્યારે પિતા તેના સગીર બાળક/બાળકોને ઉછેર માટે કર્તવ્યબદ્ધ છે અને તેમને મુલાકાતના અધિકાર માટે ઇનકાર કરવો એ આવા ભરણપોષણની ચુકવણીમાંથી મુક્તિ આપવાનું કોઈ કારણ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે જસ્ટિસ એસએમ સુબ્રમણ્યમની બેન્ચે એક મહિલા દ્વારા દાખલ કરાયેલ કેસ ટ્રાન્સફરની અરજીમાં આદેશો પસાર કરતી વખતે આ અવલોકન કર્યું હતું. સુનાવણી દરમિયાન, કોર્ટે નોંધ્યું કે મહિલાના પતિ તેમના સગીર બાળકને કે જે માતાની કસ્ટડીમાં હતું તેમને વચગાળાનું ભરણપોષણ ચૂકવતા ન હતા. 


અંજલીની બહેનપણી નિધિના ખુલાસા બાદ પોલીસના હોશ ઉડ્યા, આ 8 સવાલે વધાર્યુ ટેન્શન


મહિલાએ IRCTC ને ટ્વીટ કર્યું, પરંતુ એક ભૂલ કરી અને એકાઉન્ડમાંથી ઉડી ગયા 64 હજાર


દિલ્હી: BJPની બે દિવસની રાષ્ટ્રીય કારોબારી, બેઠક બાદ ભાજપમાં થઈ શકે છે ધરખમ ફેરફાર


બીજી બાજુ પતિના વકીલે કહ્યું કે તેઓ સગીર બાળકની સંભાળ લેવા માટે તૈયાર છે, પરંતુ મહિલા તેમને બાળકને મળવાની મંજૂરી આપતી નથી, તેથી તેઓ વચગાળાનું ભરણપોષણ ચૂકવવાની સ્થિતિમાં નથી. વકીલે દોહરાવ્યું કે જ્યાં સુધી પત્ની તેને બાળકની મુલાકાત લેવાની પરવાનગી નહીં આપે ત્યાં સુધી તે વચગાળાના ભરણપોષણની ચૂકવણી કરી શકશે નહીં.


આ બાબતે, કોર્ટે પતિને તેના અભિગમ બદલ ફટકાર લગાવી અને કહ્યું, કે "પ્રતિવાદીના આવા અભિગમ, જે જાહેર સેવક છે, કોઈ પણ સંજોગોમાં, આ કોર્ટ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે નહીં". કોર્ટે અવલોકન કર્યું હતું કે 11 માસની બાળકીની સંભાળ પતિએ લેવી જોઈએ, જે નેચરલ ગાર્ડિયન અને કમાતા સભ્ય છે.


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube