નીના જૈન, સહારનપુર: ઈસ્લામિક શિક્ષણ સંસ્થા દારૂલ ઉલુમના વરિષ્ઠ મુફ્તી મહેમૂદ હસન બુલંદશહેરીએ તમામ મુસ્લિમોને 23મી મેના રોજ દેશહિતમાં સંસદીય ચૂંટણીના પરિણામ સુધી સામૂહિક દુઆઓનું આયોજન કરવાની અપીલ કરી છે. મુફ્તી મહેમૂદની આ અપીલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહી છે અને આ અપીલ પર ચર્ચાઓ પણ થવા લાગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દારૂલ ઉલુમ દેવબંધના મુફ્તી મહેમૂદ હસનની આ અપીલનું ઉલેમા પણ સમર્થન કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર કરાઈ અપીલમાં મૌલાના મુફ્તી મહેમૂદ હસન બુલંદશહેરીએ કહ્યું કે રમજાનનો મુબારક મહિનો ચાલી રહ્યો છે. તેમણે રમજાનના પાક મહિનામાં અલ્લાહની ખુબ ઈબાદત કરીને પોતાના અપરાધોથી તોબાની નસીહત આપી. આ સાથે જ દેશમાં અમન, ચેન, ઈસ્લામ તથા મુસલમાનોની હિફાઝત, મસ્જિદ અને મદારિસની સુરક્ષા માટે રડી રડીને દુઆઓ કરવાની અપીલ કરી છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...