જોધપુરઃ રાજસ્થાનના જોધપુર (Jodhpur)મા હૃદય કંપાવતી ઘટના સામે આવી છે. અહીં દેચૂ પોલીસ સ્ટેશન વિસ્તારના લોડતા હરિદાસોતા ગામની પાસે એક સાથે 11 લોકોના મૃતદેહ મળતા હડકંપ મચી ગયો છે. આ 11 લોકોમાં ચાર મહિલાઓ, બે બાળકો અને 5 પુરૂષો છે. ઘટનાસ્થળ પર સ્યુસાઇડ નોટ પણ જપ્ત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાની જાણકારી મળતા પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું અને સ્થળ પર અધિકારીઓ પહોંચ્યા હતા. આ સિવાય ફોરેન્સિક તપાસ માટે ટીમને બોલાવવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, 11 લોકોના મૃતદેહ મળ્યા છે. ઘટના સ્થળ પર એફએસએલની ટીમને બોલાવવામાં આવી છે. આ બધા મૃતક લોકો એક રૂમમાં સુતા હતા. 


આ 22 લોકો પાકિસ્તાની શરણાર્થી જણાવવામાં આવી રહ્યાં છે. આ બધા ખેતીમાં કામ કરતા હતા. પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા લોકો માટે કામ કરનાર સંગઠનના નેતા હિન્દુ સિંહ સોઢા પણ લોડતા હરિદાસોતા ગામ પહોંચવાના છે. 


કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આ ઘટના પર ટ્વીટ કરીને લખ્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube