કોઝિકોડ: સાઈનાઈડ આપીને વારા ફરતી પરિવારના સભ્યોની હત્યા કરવાનો જેના પર આરોપ લાગ્યો છે તે જોલી થોમસે પોલીસને જણાવ્યું કે તેને મોત અને તે અંગેના સમાચારો ગમે છે. જોલી થોમસે એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેણે 2002થી 2016ની વચ્ચે તેના પરિવારના 6 લોકોની હત્યા કરી હતી. પોલીસના જણાવ્યાં મુજબ જોલી થોમસે એ વાતનો ખુલાસો કર્યો કે મોત અને તે સંબંધિત સમાચારો વાંચવા તેને ગમે છે. પૂછપરછ વખતે તેણે જણાવ્યું કે હવે તે કોઈના મોતના અહેવાલ સાંભળવા માંગતી નથી સિવાય તેના પોતાના. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મઉમાં રાંધણ ગેસ સિલિન્ડર ફાટતા 2 માળની ઈમારત ધરાશાયી, 7 લોકોના મોત, અનેક દટાયાની આશંકા


એવો પણ ખુલાસો થયો છે કે જોલીએ આ બધુ કર્યું તેની પાછળનું કારણ એ હતું કે તે આલીશાન જીવન જીવવા માંગતી હતી અને તેને આશા નહતી કે તે પકડાઈ જશે. લોકો તેને એક સારી ગૃહિણી સમજતા હતાં અને તેનું આ સ્વરૂપ જોઈને ખુબ સ્તબ્ધ થયા છે. દારૂની શોખીન જોલીના લગ્નેત્તર સંબંધ હતાં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...