નવી દિલ્હીઃ ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના આતંકી ગુરૂપતવંત સિંહ પન્નૂએ ઘણા લોકોને ફોન પર વોઇસ કોલ્સ કરીને ધમકી આપી છે કે 5 નવેમ્બરે દિલ્હીના એરપોર્ટ (Delhi Airport)થી એર ઈન્ડિયાના બે વિમાનો  (Air India flights)ને લંડન પહોંચવા દેશુ નહીં. પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (એસએફજે)ના લંડન જનારી ઉડાનોને લઈને ધમકી બાદ આઇજીઆઇ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તો દિલ્હી પોલીસના એરપોર્ટ ડીસીપીએ જણાવ્યું કે, આ પ્રકારની ધમકી મળી છે. દિલ્હી પોલીસ એલર્ટ પર છે, સુરક્ષા વધારી દેવામાં આવી છે. સાથે DIAL, એર ઈન્ડિયા, એરપોર્ટ પોલીસ, CISF સિક્યોરિટી યૂનિટ અને સ્પેશિયલ સેલને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલામાં ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ડીસીપીએ જાણકારી આપી કે હાલ ધમકીને જોતા એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ પ્રમાણે અમેરિકા સ્થિત અલગાવવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસે ધમકી આપી છે કે તે લંડન માટે ઉડાન ભરનારી એર ઈન્ડિયાની બે ફ્લાઇટ્સનું સંચાલન નહીં થવા દઈએ.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube