નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થયો છે. શુક્રવારે રાજધાની દિલ્હીમાં કોરોનાના 17 હજારથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે આર્થિક રાજધાની મુંબઈમાં પણ કોરોના કેસની સંખ્યા 20 હજારને વટાવી ગઈ છે. દિલ્હી અને મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈમાં 20 હજારથી વધુ કેસ
જો મુંબઈની વાત કરીએ તો અહીં શુક્રવારે કોરોનાના 20971 નવા કેસ નોંધાયા છે. તેમજ 8490 કોરોના દર્દીઓ સાજા થયા છે. મુંબઈમાં શુક્રવારે પણ કોરોનાને કારણે 6 દર્દીઓના મોત થયા છે. આ સિવાય હજુ પણ 1395 કોરોના દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. મુંબઈની હોસ્પિટલોમાં 35 હજારથી વધુ કોરોના બેડ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાંથી 6532 બેડ ઉપયોગમાં છે.


કોરોનાને કારણે મુંબઈમાં 123થી વધુ ઈમારતો સીલ કરવામાં આવી છે અને હાલમાં અહીં 6 કન્ટેઈનમેન્ટ ઝોન સક્રિય છે. બીજી તરફ સમગ્ર મહારાષ્ટ્રમાં લગભગ 364 રેસિડેન્ટ ડોકટરો કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.

કંગના રનૌતે કેમેરા સામે કરી આવી ગંદી હરકત, ફેન્સને ચઢ્યો ગુસ્સો!


દિલ્હીમાં 8 મહિનાનો તૂટ્યો રેકોર્ડ 
શુક્રવારે દિલ્હીમાં કોરોનાના 17335 કેસ નોંધાયા છે, ત્યારબાદ સંક્રમણનો દર 17.73 ટકા પર પહોંચી ગયો છે. રાજધાનીમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીએ કોરોના કેસને લઈને લગભગ 8 મહિનાનો રેકોર્ડ તોડ્યો છે. 8 મેથી રાજધાનીમાં સૌથી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે. સંક્રમણ દર પણ લગભગ 8 મહિનામાં સૌથી વધુ છે. દિલ્હીમાં સંક્રમણનો દર આજે 11 મે પછી સૌથી વધુ છે.

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો આંકડો 5 હજારને પાર, ઓમિક્રોનનો એકપણ કેસ નહી


કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો આ સંખ્યા વધીને 39,873 થઈ ગઈ છે જે લગભગ સાડા સાત મહિનામાં સૌથી વધુ છે. દિલ્હીમાં 20 મે પછી સૌથી વધુ સક્રિય દર્દીઓ છે. છેલ્લા 24 કલાકમાં 9 દર્દીઓના મોત થયા છે અને 26 જૂન પછી એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ થયા છે. દિલ્હીમાં હવે 20,695 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.


કેન્દ્ર સરકારે સંક્રમણને રોકવા માટે એક નવી ગાઇડલાઇન પણ બહાર પાડી છે. આ અંતર્ગત વિદેશથી આવતા પ્રવાસીઓ માટે 7 દિવસનું હોમ ક્વોરેન્ટાઇન ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે આઠમા દિવસે RTPCR ટેસ્ટ પણ જરૂરી બની ગયો છે. કોરોનાના વધતા જતા કેસ અને નવા વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય મુસાફરો પરના નિયંત્રણો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રની આ ગાઇડલાઇન 11 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube