Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો આંકડો 5 હજારને પાર, ઓમિક્રોનનો એકપણ કેસ નહી

ગુજરાતમાં કોરોનાએ ફરી ચિંતાજનક સ્થિતિ ઉભી કરી દીધી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અધધધ રેકોર્ડ 5396 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 1 વ્યક્તિનું નિધન થયું છે. કોરોનાની સારવાર બાદ 1158 લોકો સાજા થયા છે.

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો આંકડો 5 હજારને પાર, ઓમિક્રોનનો એકપણ કેસ નહી

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાએ ફરી ચિંતાજનક સ્થિતિ ઉભી કરી દીધી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અધધધ રેકોર્ડ 5396 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 1 વ્યક્તિનું નિધન થયું છે. કોરોનાની સારવાર બાદ 1158 લોકો સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનનો એકપણ કેસ પણ સામે આવ્યો નથી. માત્ર અમદાવાદ શહેરમાં 1835 કેસ સામે આવ્યા છે. ગુજરાતના 29 જિલ્લામાં કેસ સામે આવ્યા છે. નવા કેસ સાથે ગુજરાતમાં કુલ સંક્રમિતોનો આંકડો 8 લાખ 50 હજાર 252 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 21 હજાર 541 લોકો સાજા થયા છે. તો કોરોનાને લીધે 10128 લોકોના મૃત્યુ થયા છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વિસ્ફોટ

અમદાવાદ કોર્પોરેશનમાં 2281
સુરત કોર્પોરેશનમાં 1350
વડોદરા કોર્પોરેશનમાં 239
રાજકોટ કોર્પોરેશનમાં 203 
ગાંધીનગર કોર્પોરેશનમાં 91
ભાવનગર કોર્પોરેશનમાં 51
જાનમગર કોર્પોરેશનમાં 40
જુનાગઢ કોર્પોરેશનમાં 19
વલસાડમાં 142
આણંદમાં 133 
ખેડામાં 104 
સુરતમાં 102
કચ્છમાં 92, 
રાજકોટમાં 69
ભરૂચમાં 50
નવસારીમાં 49
મહેસાણામાં 48
વડોદરામાં 42
ગાંધીનગરમાં 41
મોરબીમાં 34
અમદાવાદમાં 30
સાબરકાંઠામાં 28
અમરેલીમાં 20
બનાસકાંઠામાં 17 
દાહોદમાં 17
પંચમહાલમાં 16
ભાવનગરમાં 12
અરવલ્લીમાં 11
દેવભૂમિ દ્રારકામાં 10
જામનગરમાં 10
મહિસાગરમાં 10
ગીર સોમનાથમાં 9
સુરેન્દ્રનગરમાં 9 
નર્મદામાં 6
તાપીમાં 6 
પાટણમાં 3
જુનાગઢમાં 2

આમ કુલ રાજ્યમાં 5396 કેસ નોંધાયા છે જેમાં સુરતમાં એકનું મોત થયું છે. 

રાજ્યમાં ઓમિક્રોનનો એકપણ કેસ નહી
કોરોના સાથે રાજ્યમાં ઓમિક્રોનના કેસમાં પણ મોટો વધારો થયો છે. અમદાવાદ શહેરમાં ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 204 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી 112 દર્દી ઓમિક્રોનને માત આપી ચુક્યા છે. 

રાજ્યમાં કોરોનાની સ્થિતિ 
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 18583 થઈ ગઈ છે. જેમાં 19 દર્દી વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી સારવાર બાદ 821541 લોકો સાજા થઈ ચુક્યા છે. જ્યારે કોરોનાને લીધે 10128 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 3,81,945 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 9 કરોડ 27 લાખ 18 હજાર 337 વેક્સીનના ડોઝ આપી દેવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. ગુજરાતના રિકવરી રેટ 96.62 ટકા થઈ ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news