નવી દિલ્હી: દિલ્હી પોલીસે મંગળવારે એક વીડિયો બહાર પાડ્યો જેમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી નિઝામુદ્દીન મરકઝના સભ્યોને અપીલની સાથે ચેતવી રહ્યાં છે કે તેઓ મહેમાનોને પોતાના ઘરે પાછા ફરવાનું કહે જેથી કરીને કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે સામાજિક અંતરના જે આદેશો સરકારે બહાર પાડ્યા છે તેમનું પાલન થઈ શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની સારવારમાં કઈ દવા ઉપયોગમાં લઈ શકો? સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો જવાબ


પોલીસ અધિકારીએ જણાવ્યું કે વીડિયો 23 માર્ચ હજરત નિઝામુદ્દીનના એસએચઓ કાર્યાલયમાં બનાવવામાં આવ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એસએચઓ મરકઝના સભ્યોને વારંવાર કહી રહ્યાં છે કે તમામ ધાર્મિક સ્થળ બંધ છે અને એક સ્થાન પર પાંચથી વધુ લોકો ભેગા થઈ શકે નહીં. 


જ્યારે મરકઝના સભ્યોને કહી રહ્યાં છે કે આમ છતાં તેમની ઈમારતમાં મોટી સંખ્યામાં લોકો હાજર છે અને જો તેઓ પોલીસની વાત નહીં માને તો પોલીસ તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. 


આઘાતજનક...તબલિગી જમાતના લોકોએ ભારત સહિત છ દેશોમાં ફેલાવ્યો કોરોનાનો ચેપ


વીડિયોમાં પોલીસ અધિકારી મરકઝના સભ્યોને વિસ્તાર ખાલી કરાવવા માટે એક નોટિસ પણ પકડાવે છે. વીડિયો બહાર પાડતા અગાઉ આમ આદમી પાર્ટીના નેતા અમાનતુલ્લા ખાન અને આતિશીએ પોલીસ પર વિસ્તાર ખાલી ન કરાવવા અને કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો હતો. 


વીડિયોમાં એસએચઓ મરકઝના સભ્યોને સામાજિક અંતર જાળવવાની જરૂરિયાત અંગે સમજાવી રહ્યાં છે અને ઈમારતમાં રહેતા લોકોને બહાર કાઢવા માટે એસડીએમનો સંપર્ક કરવાનું કહે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube