નવી દિલ્હી; તીસ હજારી કોર્ટમાં થયેલી અથડામણ બાદ વકીલો અને દિલ્હી પોલીસ વચ્ચે વિવાદ અટકવાનું નામ લઇ રહ્યો નથી. મંગળવારે પોલીસકર્મીઓના વિરોધ પ્રદર્શન બાદ આજે વકીલોએ પણ રોહિણી અને સાકેત કોર્ટની બહાર હંગામો-પ્રદર્શન શરૂ કરી દીધું છે. આ ઉપરાંત પ્રદર્શનકારીઓએ સાકેત કોર્ટ પરિસરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો છે અને લોકોને અંદર જવા દેવામાં આવતા નથી. બીજી તરફ પોલીસકર્મીઓના પ્રદર્શનને લઇને સુપ્રીમ કોર્ટના એક વકીલ વરૂણ ઠાકુરે દિલ્હી પોલીસ કમિશ્નરને કાનૂની નોટીસ મોકલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે દિલ્હી જિલ્લા કોર્ટના વકીલ તીસ હજારી કોર્ટની ઘટનાના વિરોધમાં બુધવારે ન્યાયિક કાર્યનો બહિષ્કાર ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. દિલ્હી જિલ્લા કોર્ટ સમન્વય સમિતિએ એક પરિપત્રમાં કહ્યું કે દિલ્હીની બધી જિલ્લા કોર્ટોમાં કામ કરવા પર પ્રતિબંધ ચાલુ રહેશે. 


તીસ હજારી કોર્ટ પરિસરમાં વકીલો અને પોલીસકર્મીઓ વચ્ચે માથાકુટના સંબંધમાં દાખલ અરજી પર દિલ્હી હાઇકોર્ટ આજે સુનાવણી કરશે. આ અરજી દિલ્હી પોલીસકર્મીઓને 2 નવેમ્બરના રોજ દાખલ કરી હતી. આ અરજી પર બપોરે 3 વાગ્યાની આસપાસ સુનાવણી થશે. અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવે છે, કારણ કે દિલ્હી પોલીસ પોતાના દમ પર આંદલનકારીઓની માંગોને પુરી ન કરી શકે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : ફેસબુક | ટ્વિટર | યૂ ટ્યૂબ


ઉલ્લેખનીય છે કે શનિવારે તીસ હજારી કોર્ટ પરિસરમાં પાર્કિંગને લઇને એક વકીલ અને કેટલાક પોલીસકર્મીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી, ત્યારબાદ તેને હિંસાનું રૂપ ધારણ કરી લીધું હતું. આ દરમિયાન એક વકીલને ગોળી પણ વાગી ગઇ. 

દિલ્હી હાઇકોર્ટ કરશે પોલીસની અરજી પર સુનાવણી, વકીલોએ કર્યો કામનો બહિષ્કાર



આ પહેલાં મંગળવારે દિલ્હી પોલીસના હજારો કર્મીઓએ તીસ હજારી કોર્ટમાં વકીલો દ્વારા તેના સહયોગી પર હુમલાના વિરૂદ્ધ એક વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન પોલીસ કર્મી 'હમ ન્યાય ઇચ્છીએ  છીએ (વી વોન્ટ જસ્ટિસ)'ના નારા લગાવતા જોવા મળ્યા હતા. તેમણે શાંત કરવા માટે પહોંચ પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકના ઘટનાક્રમની નિષ્પક્ષ તપાસનું આશ્વાસન આપ્યું.