નવી દિલ્હી: 17 એપ્રિલ એટલે કે આજે ઈસ્ટર છે. જેને ઈસ્ટર સન્ડે પણ કહે છે. ગુડ ફ્રાઈડ પછીનો ત્રીજો દિવસ ઈસ્ટર તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે ખ્રિસ્તિ ધર્મમાં માનતા લોકો ઉજવણી કરે છે. ઈશ્વરને પ્રાર્થના કરે છે અને એક બીજાને શુભકામનાઓ મોકલે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શુભકામના પાઠવી છે. એવી માન્યતા છે કે પ્રભુ ઈશુ ગુડ ફ્રાઈડના ત્રીજા દિવસે પુર્નજીવિત થયા હતા. ક્રિસમસ બાદ ઈસ્ટર ખ્રિસ્તિઓ સમુદાયનો સૌથી મોટો પર્વ છે. આ બંને તહેવાર પ્રભુ ઈશુના જન્મદિવસ સ્વરૂપે ઉજવવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાઈબલ મુજબ હજારો વર્ષો પહેલા ગુડ ફ્રાઈડેના દિવસે ઈશુને જેરૂસેલમની પહાડીઓ પર સૂળીએ લટકાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુડ ફ્રાઈડના ત્રીજા દિવસે એટલે કે પહેલા સંડે ઈશુ ફરીથી જીવિત થયા હતા. પુર્નજન્મ બાદ પ્રભુ ઈશુ લગભગ 40 દિવસ સુધી પોતાના શિષ્યો સાથે રહ્યા હતા. ત્યારબાદ તેઓ હંમેશા માટે સ્વર્ગમાં જતા રહ્યા. આથી ઈસ્ટરની ઉજવણી 40 દિવસ સુધી થાય છે. પરંતુ અધિકૃત રીતે ઈસ્ટર પર્વ 50 દિવસ સુધી ચાલે છે. આ પર્વને ખ્રિસ્તિ ધર્મના લોકો ખુબ જ ધૂમધામથી ઉજવે છે. 


Jahangirpuri Violence: જહાંગીરપુરી હિંસા પાછળ રોહિંગ્યાનો હાથ? ભાજપે લગાવ્યો આરોપ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube